ઘર ખરીદદારો માટે સારા સમાચાર છે. બિલ્ડરની ભૂલને કારણે ગ્રાહકે હેરાન નહીં થવું પડે. જો બિલ્ડર ડિફોલ્ટ કરશે તો ઘર ખરીદવા માટે પૈસા ભરનારા લોકોને તેમના પૈસા પાછા મળી જશે. હાઉસિંગ મિનિસ્ટ્રીએ તમામ રાયોના રેરા વિભાગને એક એડવાઈઝરી જાહેર કરી છે અને રિકવરી માટે મીકેનિઝમ બનાવવાની સૂચના આપી છે.હાઉસિંગ મંત્રાલયે તમામ રાયોના રેરા ને ગુજરાત મોડલ અપનાવવા જણાવ્યું છે. સેન્ટ્રલ એડવાઇઝરી કાઉન્સિલ હેઠળ રચાયેલી પેટા સમિતિની બીજી બેઠકમાં મંત્રાલયે આ વાત કહી છે. એડવાઈઝરી જારી કરીને, રાયોને ગુજરાત મોડેલ જેવું રિકવરી માટે એક મિકેનિઝમ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, મંત્રાલયે રેરા ને રિકવરી ઓફિસરની નિમણૂક કરવા પણ કહ્યું છે. મંત્રાલયને આશા છે કે રિકવરી મિકેનિઝમ દ્રારા ઘર ખરીદનારાઓને સમયસર રિફડં મળશે.
આવાસ મંત્રાલયે ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર્ર, કર્ણાટક, હરિયાણા અને તમિલનાડુ રાયો પાસેથી સલાહ માંગી હતી. રિયલ એસ્ટેટ એકટ હેઠળ સમયસર પાલન અને રિકવરી ઓર્ડર સંબંધિત બાબતો પર તેમની પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર્ર, ગુજરાત અને તમિલનાડુના રેરાએ મંત્રાલયને સૂચનો આપ્યા હતા. મંત્રાલયે ત્રણેય સૂચનોને ધ્યાનમાં લીધા બાદ આ એડવાઈઝરી જારી કરી છે. મંત્રાલયને ઘણી ફરિયાદો મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે રેરા આદેશ પછી પણ ઘર ખરીદનારાઓને સમયસર રિફડં મળ્યું નથી. રિકવરી ઓર્ડર પછી પણ ડિફોલ્ટિંગ ડેવલપર્સ પાસેથી રિફડં મેળવવામાં વિલંબની ફરિયાદ ઘર ખરીદનારાઓ કરી રહ્યા હતા. આ પહેલા ઉત્તર પ્રદેશના નોઈડા શહેરના ડિફોલ્ટિંગ ડેવલપર્સની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં મોટા ભાગના મોટા બિલ્ડરો ડિફોલ્ટર હોવાનું બહાર આવ્યું છે. આના પરથી સ્પષ્ટ્ર થાય છે કે મોટું નામ પણ ઘર ખરીદનારના પૈસા સુરક્ષિત હોવાની ગેરંટી નથી.
ઉત્તર પ્રદેશ સરકારે આ પહેલા પણ બિલ્ડરો પર કડકાઈ કરી છે. આ અંતર્ગત જિલ્લા અને તાલુકામાં ટોચના ૧૦ ડિફોલ્ટર બિલ્ડરોની યાદી તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું. સરકારના આદેશ મુજબ તેમની ઓફિસને સીલ કરવા જણાવાયું હતું. નોઇડા, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઇડા, લખનૌ અને અન્ય જિલ્લાઓમાં રેરા ડિફોલ્ટર્સની મોટાભાગની ઓફિસોને સીલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech