આચાર સંહિતા વચ્ચે આવા યોજનાકીય કેમ્પ યોજી શકાય ?

  • April 15, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્રારા વોર્ડના સફાઈ કામદાર માટે હેલ્થ ચેકઅપ અને આયુષ્યમાન કાર્ડ કેમ્પનો કેમ્પ યોજાયો હતો, અહીં સવાલ એ છે કે શું આચારસંહિતા વચ્ચે આવા યોજનાકીય કેમ્પ યોજી શકાય કે કેમ ? કે પછી મંજૂરી લઇને યોજવામાં આવતા હશે ?
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના પર્યાવરણ ઇજનેરએ પ્રેસ રીલીઝમાં જણાવ્યું છે કે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના જુદા જુદા વોર્ડમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સફાઈ કામદારનાં હેલ્થ ચેકઅપ તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના કાર્ડ (આયુષ્યમાન કાર્ડ )કાઢવા અંગે દરેક વોર્ડ કક્ષાએ કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યુ હતું. વોર્ડ નં.૨બ, ૩બ, ૭બ, ૧૩બ, ૧૪બ, ૧૭બ, ૮બ, ૯બ, ૧૧બ, ૧૨બ, ૪બ, ૫બ, ૬બ, ૧૫બ, ૧૬બ, ૧૮બ ના વોર્ડને આવરી લેવાયા. જેમાં વોર્ડનાં એસ.એસ.આઈ, એસ.આઈ, મેડીકલ ઓફીસર અને આરોગ્યનો સ્ટાફ હાજર રહી હેલ્થ ચેકઅપ અને કાર્ડની કામગીરી કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application