સફળતા : ભારતે ક્વિક રિએક્શન સરફેસ ટૂ એર મિસાઈલનું કર્યું સફળ પરિક્ષણ

  • September 12, 2024 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





ભારતે ગુરુવારે (12 સપ્ટેમ્બર)ના રોજ બાલાસોરના ચાંદીપુરમાં અત્યાધુનિક સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ (ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. બપોરે 3:18 કલાકે આ પરીક્ષણ પૂર્ણ થયું હતું.




આ અગાઉ, મિસાઇલ પરીક્ષણને ધ્યાનમાં રાખીને, પરીક્ષણ સ્થળની નજીકના ગામડાઓમાંથી લોકોને અસ્થાયી શિબિરોમાં ખસેડવાનું કામ સવારે 6:00 કલાકથી શરૂ કરવામાં આવ્યું હતું. અસ્થાયી કેમ્પમાં આવતા લોકોની સુવિધા માટે 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી.




6 સપ્ટેમ્બરે કરાયું હતું અગ્નિ-4 મિસાઈલનું પરીક્ષણ



ઉલ્લેખનીય છે કે, 6 સપ્ટેમ્બરે પણ ભારતે ઓડિશામાં મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલનું નામ અગ્નિ-ફોર છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ પરીક્ષણ કર્યું હતું.




જણાવી દઈએ કે, અગ્નિ-IV મિસાઈલની એક મોટી ખાસિયત એ છે કે તે રડાર દ્વારા પકડાતી નથી. ત્યારે તે ઉડાન દરમિયાન ઉદભવતી ખામીઓને સુધારવા માટે પણ સક્ષમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application