ધોરણ ૧૨ સાયન્સમાં પ્રશ્નોમાં ભૂલ હોવાથી વિધાર્થીઓને ૩ માકર્સ વધશે

  • March 28, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શિક્ષણ બોર્ડ દ્રારા સાયન્સની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. પરિણામ જાહેર થાય તે પહેલા જ સાયન્સ ના વિધાર્થીઓને બે અને ત્રણ માર્કસનો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચૂંટણીના પગલે બોર્ડના વિધાર્થીઓનું પરિણામ વહેલાસર આવવાનું છે. કેમેસ્ટ્રી અને ફિઝિકસમાં પ્રશ્નમાં ભૂલ હોવાના લીધે બોર્ડ દ્રારા અગાઉથી જ ઈંગ્લીશ મીડીયમ ના વિધાર્થીઓને ત્રણ માકર્સ અને ગુજરાતી અને હિન્દી મીડીયમના વિધાર્થીઓને બે માર્ક નો વધારો કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ–૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરે તે પહેલા જ ગુજરાતી અને હિન્દી માધ્યમના વિધાર્થીઓને ૨ ગુણ અને અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓને ૩ ગુણ મળી જશે. કેમેસ્ટ્રી અને ફિઝિકસ વિષયના પ્રશ્નપત્રમાં પ્રશ્નોમાં ભૂલ હોવાને લીધે તેના ગુણ આપવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત ૩ પ્રશ્નોના વિકલ્પમાં પણ એકને બદલે બે વિકલ્પ સાચા હોવાનું જણાતા બે પૈકી ગમે તે વિકલ્પ લખનારને ગુણ મળશે. બોર્ડ દ્રારા સાયન્સના મુખ્ય ચાર વિષયોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આ આન્સર કીને લઈને રજૂઆત હોય તો પણ ૩૦ માર્ચ સુધી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application