ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ પહેલા ઓરિસ્સાના કટક સ્ટેડિયમમાં ટિકિટ કાઉન્ટર પર અંધાધૂંધી, નાસભાગ થતા ઘણા લોકો ઘાયલ, કેટલાક બેભાન

  • February 05, 2025 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની બીજી મેચ 9 ફેબ્રુઆરીએ ઓરિસ્સાના કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે. પરંતુ તે પહેલાં, આજે ટિકિટ કાઉન્ટર પર હજારો લોકોની ભીડ એકઠી થઈ જતાં અંધાધૂંધી મચી ગઈ હતી. ભીડ એટલી વધી ગઈ કે, નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં કેટલાક લોકો બેભાન થઈ ગયા હતા. ઘણા લોકો ઘાયલ થયા છે. ટિકિટ ખરીદવા આવેલા લોકોએ આરોપ લગાવ્યો છે કે, વહીવટી તંત્રની બેદરકારીને કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે.



ભારત ઈંગ્લેન્ડ વચ્ચે વનડે સીરિઝ શરુ થશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 6 ફેબ્રુઆરીથી વનડે સીરિઝ શરૂ થશે. જેમાં પ્રથમ મેચ નાગપુરમાં જ્યારે શ્રેણીની બીજી મેચ કટકમાં રમાશે. આ મેચ 9 ફેબ્રુઆરીએ કટકના બારાબાતી સ્ટેડિયમ ખાતે રમાશે. સીરિઝની અંતિમ મેચ 12 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. સીરિઝની પહેલી અને બીજી મેચની ટિકિટોનું વેચાણ શરૂ થતાંની સાથે જ બંધ થઈ ગયું હતું.​​​​​​​



પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો
પહેલી મેચ માટે ટિકિટ બુક કરવા માટે લગભગ 1 લાખ 10 હજાર લોકોએ સાઈટની મુલાકાત લીધી હતી. જે બાદ બધા ક્રિકેટના ચાહકોએ લાઇનમાં ઉભા રહીને ટિકિટ લીધી હતી. બીજી મેચની ટિકિટ ખરીદતી વખતે નાસભાગ મચી ગઈ. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો તેમજ પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. કોઈક રીતે પરિસ્થિતિ સંભાળી લેવામાં આવી. આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી પણ ટિકિટ માટેનો ધસારો જોઈને બધા દાવા નિષ્ફળ ગયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application