ખંભાળિયામાં રાસ રંગત નવરાત્રીને મન ભરીને માણતા ખેલૈયાઓ

  • October 16, 2023 11:21 AM 

ખંભાળિયામાં રવિવારથી નવલા નોરતાનો મંગલ પ્રારંભ થયો છે. ત્યારે નવરાત્રીની પૂર્વ સંધ્યાએ શનિવારે રાત્રે અહીંના બેઠક રોડ પર આવેલી રાજપૂત સમાજની વાડી ખાતે 'રાસ રંગત નવરાત્રી"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.


જામનગરના જાણીતા ઓર્ગેનાઇઝર એમ.જે. ઇવેન્ટ્સના ઉપક્રમે શનિવારે રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના જાણીતા કલાકારો સાજિંદાઓ તેમજ એન્કર અલકા નથવાણી અને મિતલ ચૌહાણ, વિપુલ મકવાણા તથા ડી.જે. બ્રીજ સાથે દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ અને રંગબેરંગી લાઇટિંગ સાથેના આ રાસ ગરબામાં શહેરના ગરબા શોખીન નગરજનો ખાસ જોડાયા હતા અને મોડે સુધી રાસ ગરબાની મોજ માણી હતી.


નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ડો. બીજલબેન પટેલ, ઇન્દ્રજીતસિંહ પરમાર, રાહુલભાઈ વ્યાસ સહિત મોટી સંખ્યામાં ડોક્ટરો, આગેવાનો, હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં પ્રથમ વખત આ પ્રકારના આયોજને સારું એવું આકર્ષણ જમાવ્યું હતું. જેની સુંદર સફળતા બદલ આયોજકો દ્વારા નગરજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application