સલમાન સિકંદર ફિલ્મના શુટિંગ માં વ્યસ્ત
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ નજીકના ભવિષ્યમાં લગ્ન કરવા જઈ રહ્યા છે અને તેના આમંત્રણ મોકલાઈ ગયા છે જો કે સોનાક્ષી અને ઝહીરને ભેગા કરવામાં જેમનો હાથ છે તે સલમાન ખાન જ સોનાક્ષીના લગ્નમાં હાજરી કદાચ નહી આપે.સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડીમાં પોતાના અભિનયથી સૌને પ્રભાવિત કરનાર સોનાક્ષી સિન્હાના આજકાલ તેની લવ લાઈફને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર જલ્દી જ ઝહીર ઈકબાલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. હવે તાજેતરમાં જ તેના લગ્નમાં બોલિવૂડના કયા સ્ટાર્સ હાજરી આપશે તે અંગેની માહિતી સામે આવી છે સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં જ 'નોટબુક' એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જો કે, અત્યાર સુધી 'હીરામંડી' અભિનેત્રીએ તેના લગ્નના સમાચાર પર કોઈપ્રતિક્રિયા વ્યક્ત કરી નથી.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ 23 જૂને લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન નજીકના લોકો વચ્ચે નહીં, પરંતુ ખૂબ જ ભવ્ય રીતે થવાના છે, જેમાં ઘણા સ્ટાર્સ હાજરી આપવાના છે.સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નનું આમંત્રણ બોલિવૂડના દબંગ સલમાન ખાનને પણ મોકલવામાં આવ્યું છે, કારણ કે તે 'સિકંદર' અભિનેતા હતા જેમણે તેમની લવ સ્ટોરી શરૂ કરી હતી. એવું કહેવાય છે કે તેણે જ બંનેનો પરિચય કરાવ્યો હતો.
અહેવાલોનું માનીએ તો, સોનાક્ષી અને ઝહીરના લગ્નમાં હાજરી આપવાનું સલમાન ખાન માટે થોડું મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે તે હાલમાં રશ્મિકા મંદાન્ના સાથે એઆર મુરુગાદોસની ફિલ્મ 'સિકંદર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં તેમના લગ્નમાં હાજરી આપવાના 50-50 ચાન્સ છે.લગ્નમાં આવનાર ગેસ્ટ લિસ્ટમાં આયુષ શર્મા, હુમા કુરેશી, વરુણ શર્માના નામ સામેલ છે, આ સિવાય આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 'હીરામંડી'ની આખી સ્ટાર કાસ્ટ અદિતિ રાવ હૈદરી, શર્મિન સેગલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech