પોરબંદરના વિવિધ પ્રાણપ્રશ્ર્નોનું નિરાકરણ કરવાની માંગણી સાથે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન પાઠવાયુ હતુ.
પોરબંદર શહેરના વિકાસની સાથે-સાથે વિવિધ સમસ્યા પણ વધતી જાય છે, જેમકે અનેક વિસ્તારોમાં ઢોર, શ્ર્વાનનો ત્રાસ, શહેરમાં ગંદકી, રસ્તાઓ ખાડાવાળા, તૂટેલા હોય સાફસફાઇ થતી ન હોય, એસ.પી. કચેરી પાસે આવેલ નવા ફૂવારામાં છેલ્લા ૩ વર્ષથી રેલીંગ તૂટી ગયેલ છે. તેને કારણે અનેક નાના મોટા અનેક અકસ્માત થતા રહે છે. એસ.પી. કચેરીની સામેના બગીચામાં ડો. બાબાસાહેબનું આંબેડકરનું સ્ટેચ્યુ આવેલ છે, આ બગીચાની સાફસફાઇ અને લાઇટીંગનું કામ, શહેરમાં સાર્વનિક કોમ્યુનીટી હોલ ન હોય. આ બાબતે પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવીને સુવિધા પૂરી પાડવા તેમજ શહેરમાં મહાત્મા જ્યોતિબા ફૂલે દંપતીનું તથા શહિદ ભગતસિંહજીનું સ્ટેચ્યુ મુકવાની માંગ સાથે પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્ર્નરને આવેદનપત્ર બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ એન.પી. રાઠોડે પાઠવેલ તેમની સાથે કાર્યકર દિનેશ વ્રજલાલ માંડવીયા, પૂર્વ ફીસરીઝ કમિશ્નર ડી.પી. વાઢેર, સામાજિક કાર્યકર અરવિંદ સાદિયા, લો સ્ટુડન્ટ જીગરભાઇ ગોકાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech