સેનાનગરમાં રહેતા એરફોર્સના નિવૃત્ત કર્મચારીના રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો

  • July 29, 2024 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મકાનની બારીની સાઈડની દિવાલ તોડી અંદર પ્રવેશી ૭૬ હજારના સોના ચાંદીના દાગીનાની ઉઠાવી ગયા ની પોલીસ ફરિયાદ


જામનગરના સેનાનગર વિસ્તારમાં રહેતા એરફોર્સના નિવૃત્ત કર્મચારીના રહેલા મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું. બારીની દિવાલ તોડી અંદર પ્રવેશી મકાનમાંથી રૂપિયા ૭૬,૦૦૦ ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.


આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના ઢીંચડા રોડ પર સેના નગરમાં રહેતા અને એરફોર્સના નિવૃત કર્મચારી હરેન્દ્ર અયોધ્યારાય નામના ૬૧ વર્ષ ના વિપ્ર બુઝુર્ગ, જેઓએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઘરમાંથી રૂપિયા ૭૬,૦૦૦ ની કિંમતના સોના ચાંદીના દાગીના ની ચોરી થઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે.


પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર તસ્કરો એ મકાનની સાઈડની દિવાલ તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને સોના ચાંદીના ઘરેણાંની ઉઠાંતરી કરી ગયા હોવાથી મામલાને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, જે તસ્કરોને પોલીસ શોધી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application