ગોરખડી સીમમાં મકાનમાં ખાતર પાડતા તસ્કરો

  • September 19, 2023 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે લાખની રોકડ અને પાંચ તોલાના સોનાના દાગીના લઇ ગયા : એફએસએલની મદદથી પોલીસની તપાસ : વાડી વિસ્તારમાં ચોરીના બનાવથી ચકચાર


જામજોધપુર તાલુકાના ગોરખડી વાડી વિસ્તારમાં આવેલા મકાનમાં ત્રાટકેલા તસ્કરો બે લાખની રોકડ અને પાંચ તોલા સોનાના દાગીના મળી કુલ 3 લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતા, ત્રણ દિવસ પહેલા થયેલી ચોરી અંગે જાણકારી મળતા અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરવામાં આવતા શેઠવડાળા પોલીસે જુદી જુદી દીશામાં તપાસના ચક્રો ગતીમાન કયર્િ છે.


જામજોધપુર તાલુકાના ગોરખડી વાડી વિસ્તારમાં રહેતા ખેડુત લખમણ નાથાભાઇ નંદાણીયા (ઉ.વ.42)ના વાડી ખાતેના રહેણાંક મકાનમાં ગત તા. 16ના રાત્રીના કોઇ સુમારે તસ્કરો ત્રાટકયા હતા, બંધ મની પાછળની બારી તોડીને અંદર મમાં પ્રવેશ્યા હતા.


અજાણ્યા શખ્સોએ કબાટનો ઉપર-નીચેનો ભાગ કોઇપણ ઓજાર વડે લાગથી દરવાજો ખોલીને તિજોરીનો દરવાજો તોડી નાખી તેમા રાખેલા કપાસ વેચાણના રોકડા ા. બે લાખ, ફરીયાદીના લગ્ન વખતે તેની પત્નીને આપવામાં આવેલ સોનાની બે વીંટી, સોનાની એક બુટી, અને બુટીની છરની જોડ તથા એક સોનાનો ચેન મળી આશરે 5 તોલાના સોનાના દાગીના જેની અંદાજે કિ. એક લાખ મળી કુલ 3 લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતા.


આ અંગેની જાણ થતા લખમણભાઇ દ્વારા ગઇકાલે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પીએસઆઇ ઓડેદરા અને સ્ટાફ દ્વારા એફએસએલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે, ચોરીના બનાવથી વાડી વિસ્તારમાં ચકચાર ફેલાઇ જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application