મહિલા સફાઈ કર્મીનાં બ્રેઇન હેમરેજથી મૃત્યુ બાદ છ વ્યક્તિને મળ્યું નવજીવન

  • May 06, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ  મહાપાલિકાના મહિલા સફાઈ કર્મીને બ્રેઇન હેમરેજ યા બાદ સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન કરી  મૃત્યુ બાદ છ વ્યક્તિને નવજીવન આપવામાં મહત્વની ભૂમિકા બજાવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાનનું અભિયાન શરૂ યા બાદ  પ્રમ અંગદાન કર્યાનો બનાવ નોંધાયો હતો. જુનાગઢ મહાનગરપાલિકામાં સફાઈ કર્મી તરીકે ફરજ બજાવતા ઉર્મિલાબેન ઝાલાને હાઈ બ્લડ પ્રેશરની તકલીફના કારણે બ્રેઇન હેમરેજ તા જુનાગઢ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ જુનાગઢની બ્રેઇન ડે ડિકલેરેશન કમિટીએ ગાઇડલાઇન્સ અનુસાર તેઓને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા બાદ તેમના પુત્ર એ તેઓના અંગોનું દાન કરવાની સંમતિ આપેલ હતી.સ્વજન દ્વારા અંગદાનની સંમતિ મળતા હોસ્પિટલની ટીમે અંગોના રીટ્રાવેલની પ્રક્રિયા આરંભી હતી સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. તા બંને કોર્નિયા (આંખની કીકી)નું દાન કરવામાં આવેલ હતું.અંગદાનમાં મળેલા અંગોમાી લીવર તા બંને કિડની અમદાવાદ સી આઈ એમ એસ મેડિકલ ટીમ દ્વારા લઈ જવામાં આવેલ હતા. તા બંને કોર્નિયા પંજૂરી આઈ કલેક્શન સેન્ટર જુનાગઢના ગીરીશભાઈ મશરૂ સહિતની ટીમ દ્વારા લઈ જવામાં આવ્યા હતા.ઓર્ગન ટ્રાન્સપોર્ટ કરવા માટે જુનાગઢ પોલીસ દ્વારા અન્ય જિલ્લા સો કોઓર્ડીનેશન કરી જુનાગઢ સિવિલ હોસ્પિટલી અમદાવાદ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવેલ હતો.
આ કામગીરીમાં મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો. કૃર્તા બ્રહ્મભટ્ટ, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્મેન્ટ ડો. સિકોત્રા એનેેશિયા વિભાગના ડો.હેતલ કાનાબાર ડો.ખુશ્બુ કોરાટ તા સર્જરી વિભાગના ડો. કુલદીપ વાણવી એ જહેમત ઉઠાવેલ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application