વર્ષનો મહત્વનો ગણાતો દિપોત્સવ પર્વ નજીક આવી રહ્યો છે. આગામી સપ્તાહે અગિયારસથી શૃંખલાબધ્ધ પર્વનો પ્રારંભ થશે. શહેરમાં નવરાત્રિ પૂર્ણ થતાની સાથે જ દિવાળીનોઝગમગાટ જોવા મળ્યો છે. શુક્રવારથી દિપાવલીના શ્રેષ્ઠ મુહર્તો શરૂ થઈ રહ્યા છે. તા.3-11ને શુક્રવારે વેપારીઓ માટે ચોપડા ખરીદી માટેનું શુભ મુહર્ત છે. તા.4-11ને શનિવારે પુષ્યનક્ષત્ર યોગ અને તા.5-11ને રવિવારે રવિપુષ્યામૃત યોગ છે. આગામી બુધવારે અગિયારસથી દિપાવલી પર્વની ઉજવણી શરૂ થશે.
ચોપડા ખરીદી દિન
આસો વદ-6ને શુક્રવાર, તા.3-11-2023ના રોજ આખો દિવસ અને રાત્રી શુભ રવિયોગ છે. સવારે: ચલ, લાભ, અમૃત 6-53 થી 11-06, બપોરે: શુભ 12-30 થી 1-55, સાંજે : ચલ 4-43 થી 6-08, રાત્રે: લાભ 9-19 થી 10-55
પુષ્યનક્ષત્ર યોગ
આસો વદ-7ને શનિવારે તા.4-11-2023ને સવારે 7-56 થી આખો દિવસ અને આખી રાત્રી છે. સવારના ચોઘડીયા: 8-18 થી 9-42 સુધી, શુભ 12-30 થી 4-43 સુધી ચલ, લાભ, અમૃત ચોઘડીયું રાત્રીના ચોઘડીયા: 6-07 થી 7-43 સુધી લાભ, 9-19થી 12-31 સુધી શુભ, અમૃત ચોઘડીયા
રવિપૃષ્યામૃત યોગ
આસો વદ-8ને રવિવાર તા.5-11-2023ના સવારના 10-28 સુધી રવિપૃષ્યામૃત યોગ છે. દિવસના ચોઘડીયા: સવારે 8-18 થી 9-42 સુધી ચલ, 9-42 થી 12-30 સુધી લાભ, અમૃત અને 1-54 થી 3-18 સુધી શુભ ચોઘડીયું રાત્રે 6-07 થી 10-55, શુભ, અમૃત ચલ ચોઘડીયું
ચોપડા ખરીદવા ઓર્ડર આપવા માટે શુભ દિવસ છે. સુવર્ણ, રજત, શ્રીયંત્ર, કુબેર યંત્ર ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ છે.
ધનતેરસ
આસો વદ-12 શુક્રવાર તા.10-11-2023 દિવસે હસ્ત નક્ષત્ર આખો દિવસ શુભ છે. સવારના ચોઘડીયા: ચલ, લાભ, અમૃત 6-57 થી 11-07 બપોરના ચોઘડીયા: શુભ 12-31 થી 1-54, બપોરના ચોઘડીયા: ચલ 4-41 થી 6-04, રાત્રીના ચોઘડીયા: લાભ 9-18 થી 10-54
કાળી ચૌદશ
આસો વદ-13ને શનિવાર તા.11-11-2023ના દિવસે કાળી ચૌદશનો પ્રારંભ બપોરે 1-58 થી થશે. આથી કાળી ચૌદશના જે લોકો નેવૈદ સાંજના કરતા હોય તેઓએ શનિવારે નૈવેદ કરવા અને બપોરે નૈવેદ કરતા હોય તેઓએ રવિવારે તા.12-11-2023ના દિવસે બપોરે 12-45 પહેલા કરી શકાશે. આથી પંચાંગના નિયમ પ્રમાણે શનિવારે રાત્રીના હનુમંત પૂજન, કાળભૈરવ પૂજન, બહકવીર પૂજન, કાલીપૂજા, મશીનરીનું પૂજન કરવું.
દિપાવલીનો પ્રદોષકાળ પૂજન માટેનો શ્રેષ્ઠ સમય
આસો વદ-14ને રવિવાર તા.12-11-2023ના રોજ છે. બપોરે 12-09 થી 12-53 સુધી અભિજિત મુહર્ત છે. સાંજે પ્રદોષકાળનો શુભ સમય રાત્રે 6-03 થી 8-39 સુધી છે. વૃષભ સ્થિર લગ્ન 6-17 થી 8-14, કુંભ સ્થિર નવમાંશ રાત્રે 6-30 થી 6-42, વૃષભ સ્થિર નવમાંશ રાત્રે 7-08 થી 7-20 રાત્રે નિશિથ કાળનો શુભ સમય: રાત્રે 12-05 થી 12-56 છે.
આસો વદ-14ને રવિવાર તા.12-11-2023ના દિવસે શુભ દિપાવલી છે. સ્વાતિ નક્ષત્ર હોવાથી દિવાળી ઉતમ છે. પ્રદોષકાળ વ્યાપીની મળતી હોવાથી આ દિવસે લક્ષ્મીપૂજન કરવું શુભ છે.
રાજકોટના અક્ષાંશ-રેખાંશ પ્રમાણે સ્ટા. ટાઈમ સવારે 6-58 થી સૂર્યોદય થાય છે. શાસ્ત્રોક્ત દૃષ્ટિએ હોરા તથા ચોઘડીયાનો પ્રારંભ સુર્યોદયથી થાય છે.
લાભ પાંચમ:
કારતક સુદ 5 શનિવાર તા.18-11-2023ના રોજ લાભપાંચમ છે. સવારે 8-24થી 9-47 સુધી શુભ ચોઘડીયું છે. બપોર 12-32થી 4-39 ચલ, લાભ, અમૃત ચોઘડીયું છે.
દિવસના શ્રેષ્ઠ ચોઘડિયા
ક્રમ ચોઘડીયા સમય
1 ચલ 8-21 થી 9-44
2 લાભ 9-44 થી 11-08
3 અમૃત 11-08 થી 12-31
4 શુભ 1-54 થી 3-17
રાત્રીના શ્રેષ્ઠ ચોઘડિયા
ક્રમ ચોઘડીયા સમય
1 શુભ 6-03 થી 7-40
2 અમૃત 7-40 થી 9-17
3 ચલ 9-17 થી 10-54
4 લાભ 2-08 થી 3-45
5 શુભ 5-22 થી 6-59
દિવસના શુભ હોરા
ક્રમ હોરા સમય
1 શુક્ર 7-54 થી 8-49
2 બુધ 8-49 થી 9-44
3 ચંદ્ર 9-44 થી 10-40
4 ગુરુ 11-35 થી 12-31
5 શુક્ર 2-22 થી 3-17
6 બુધ 3-17 થી 4-13
7 ચંદ્ર 4-13 થી 5-08
રાત્રીના શુભ હોરા
ક્રમ હોરા સમય
1 ગુરુ 6-03 થી 7-08
2 શુક્ર 9-17 થી 10-22
3 બુધ 10-22 થી 11-27
4 ચંદ્ર 11-27 થી 12-31
5 ગુરુ 1-36 થી 2-40
6 શુક્ર 4-50 થી 5-54
7 બુધ 5-54 થી 6-59
સંકલન: શાસ્ત્રી રાજદીપ જોષી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુશ વિના તર્પણ કરવાથી થઇ શકે છે અપશુકન, જાણો આ પાછળની માન્યતા
September 20, 2024 03:02 PMશહેનશાહની સરળતા: શબ્દના ખોટા ઉચ્ચાર બદલ માફી માગી
September 20, 2024 02:46 PM'સ્ત્રી 2'ના 'આઈ નહીં'ના કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ,કોર્ટમાં રજુ કરાશે
September 20, 2024 02:44 PMઆઈ–ખેડૂત પોર્ટલ પરનો ઘસારો ખાળવા તબક્કાવાર ખુલ્લું મુકાશે
September 20, 2024 02:43 PMસૂર્યાએ રજનીકાંતથી ડરીને 'કંગુવા'ની રિલીઝ ડેટ બદલી
September 20, 2024 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech