સલાયા લોહાણા મહાજનના સેક્રેટરી પરિવાર દ્વારા ગોકુળ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

  • March 25, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૃજલાલ બથિયા પરિવાર દ્વારા ભાગવતનું આયોજન કરાયું


સલાયા લોહાણા મહાજનમાં વર્ષોથી સેક્રેટરી તરીકે સેવા આપતા અને સલાયાની અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ એવા વડીલ વૃજલાલ રાઘવજીભાઇ બથિયા પરિવાર દ્વારા તારીખ 6.4.25 થી 12.4.25 સુધી ગોકુલ મુકામે "યમુના નિકુંજ" માં સમસ્ત પિતૃઓના કલ્યાણર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યાસાસને પ્રખર કથાકાર પૂજ્ય શ્રી વિનીતભાઈ શાસ્ત્રીજી (ગોકુલ વારા) બિરાજી કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે.


આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અંતર્ગત આગામી તા. 9 ના રોજ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે તેમજ તા. 10ના રોજ શ્રી ગિરિરાજજીની પૂજા-અર્ચના કરવામાં આવશે. તા. 13ના રોજ બ્રહ્મભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ છે. કથા વાંચનનો સમય સવારે 9 થી 12 તેમજ સાંજે 4 થી 7 નો રાખવામાં આવેલ છે, આમ આ સુંદર આયોજનની જોરશોરથી તૈયારીઓ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application