શું ઉનાળામાં ભોજનના સમયમાં બદલાવ કરવો જોઈએ?

  • May 22, 2024 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જો સ્વસ્થ રહેવું હોય તો યોગ્ય સમયે ખોરાક લેવો જરૂરી છે. આપણે કયા સમયે ખાઈએ છીએ આ બધી વસ્તુઓની અસર આપણા સ્વાસ્થ્ય પર વધુ જોવા મળે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં વ્યક્તિએ પોતાના આહારનું વધુ ધ્યાન રાખવું જોઈએ. આ ઋતુમાં ડિહાઈડ્રેશન અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.


ઉનાળામાં લોકો તેમના ભોજનના સમય વિશે ઘણી વાર બેદરકાર હોય છે. મોટાભાગના લોકો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ખોરાક ખાય છે. આવી સ્થિતિમાં તાપમાન વધવાથી તેમને પાચન સંબંધી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.


ડૉકટર કહે છે કે ઉનાળામાં નાસ્તા, લંચ અને ડિનરનો સમય નક્કી કરવો જોઈએ. સૌથી પહેલા સવારે ઉઠવાના 2 કલાકની અંદર નાસ્તો કરી લેવો જોઈએ. આનો અર્થ એ પણ નથી કે 10-11 વાગ્યા સુધી નાસ્તો કરવો જોઈએ. 8 વાગ્યા સુધીમાં નાસ્તો પૂરો કરવાનો પ્રયાસ કરવો જોઈએ.


નિષ્ણાતોના મતે નાસ્તો અને લંચ પછી 5 કલાકનો ગેપ જરૂરી છે.તેથી 1 વાગ્યા સુધીમાં લંચ કરી લેવું જોઈએ. જમવામાં મોડું થવાથી શરીરમાં ગ્લુકોઝની ઉણપ થાય છે. જેનાથી થાક અને નબળાઈ આવી શકે છે. તેથી યોગ્ય સમયે બપોરનું ભોજન લેવું મહત્વપૂર્ણ છે. રાત્રિભોજન અને સૂવાના સમય વચ્ચે 3 કલાકનું અંતર હોવું જોઈએ. તેથી રાત્રિભોજન 8 વાગ્યા સુધીમાં કરી લેવું જોઈએ. રાત્રિભોજન કર્યા પછી મોડી રાત સુધી જાગવું જોઈએ નહીં.


નિષ્ણાતોના મતે, ઉનાળાની ઋતુમાં શક્ય તેટલું શરીરને હાઇડ્રેટેડ રાખો. જેના કારણે ઉનાળામાં શરીરમાં પાણીની કમી નથી થતી કે ઉલ્ટી અને ઉબકા આવવાની સમસ્યા થતી નથી. નિષ્ણાતો એમ પણ કહે છે કે આહારમાં હાઇડ્રેટિંગ ફળોનો સમાવેશ કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application