તિરૂપતિ મંદિરમાં આજે શાંતિ હોમ પંચગવ્ય પ્રક્ષાલન કરાયુ

  • September 23, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તિરુપતિ બાલાજીના લાડુ પ્રસાદમાં વપરાતા શુદ્ધ ઘીમાં પશુઓની ચરબી અને માછલીનું તેલ ઉમેરવામાં આવ્યું હોવાના પુરાવાઓ મળ્યા બાદ હિંદુઓની આસ્થાને જબરી ઠેસ પહોચી છે અને દેશભરના મંદિરોમાં અપાતા પ્રસાદની શુદ્ધતા સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આંધ્ર પ્રદેશના સીએમ એન ચંદ્રાબાબુ નાયડુએ મંદિરને શુદ્ધ કરી પવિત્ર બનાવવા શાંતિ હોમ પંચગવ્ય પ્રક્ષાલન કરવાનો આદેશ આપ્યો છે અને તેનાં અનુસંધાને આ કર્મકાંડ વિદ્વાનો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
ચંદ્રાબાબુ નાયડુએ જગન મોહન રેડ્ડી પર તેમના નજીકના લોકોને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના સભ્યો તરીકે નિયુક્ત કરવાનો અને પાંચ વર્ષના શાસન દરમિયાન તિરુપતિ મંદિરમાં બિન-પવિત્ર પ્રવૃત્તિઓને મંજૂરી આપવાનો આરોપ મૂક્યો હતો.નાયડુએ વધુમાં જણાવ્યું હતું કે તિરુમાલા મંદિરમાં સોમવારે શાંતિ હોમ પંચગવ્ય પ્રક્ષાલન (કર્મકાંડિક સ્વચ્છતા) યોજવામાં આવ્યો હતો અને શ્રીવરી (શ્રી વેંકટેશ્વર) મંદિરમાં બંગારુ બાવી (સુવર્ણ કૂવા) યજ્ઞશાળા (કર્મકાંડ સ્થળ) ખાતે આ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી.
આ તકે સીએમ નાયડુએ તિરુપતિ પ્રસાદમ માટે ભેળસેળયુક્ત ઘીના સપ્લાય માટે રેડ્ડીને જવાબદાર ઠેરવ્યા હતા અને વધુમાં ઉમેર્યું હતું કે ટ્રસ્ટ બોર્ડની નિમણૂક જુગાર જેવી હતી. મંદિરની ટિકિટો તેમની ઇચ્છા મુજબ વેચવામાં આવી હતી. અમે તિરુપતિ ગયા અને વિરોધ કરવો પડ્યો અને અમુક લોકોની ધરપકડ કરવી પડી. તેઓએ તેમના નજીકના લોકોને બોર્ડના સભ્યો તરીકે નિયુક્ત કયર્િ અને વિવાદ થાય તેવા મુદ્દાઓને પણ મહત્વ આપ્યું. હિંદુઓએ તેમના રાજકીય ફાયદા માટે ટીટીડીનો ઉપયોગ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application