ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહત્પએ યુદ્ધવિરામ સમજુતીના પ્રથમચરણમાં બંધકોને છોડવાના બદલામાં ગાઝા–ઈજિ સીમાથી ૪૨ દિવસ માટે સૈન્ય પરત લેવાના પ્રસ્તાવનો અસ્વિકાર કર્યેા છે. તેમના બાદ વિપક્ષ અને નેતન્યાહત્પની વચ્ચે મતભેદ વધ્યા છે. વિપક્ષી નેતા યાયર લૈપિડે આરોપ લગાવ્યો છે કે, નેતન્યાહત્પ હંમેશા માટે યુદ્ધ ઈચ્છતા હતા. ત્યાંજ નેચન્યાહત્પએ યશલમમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પોતાની વિદ્ધ લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા કહ્યું કે, ઈજિ ગાઝા સીમા પર ફિલાડેલ્ફી સીમાથી પાછળ હટે છે તો હમાસ પુન: હથિયારબધં થઈ જશે, પુનર્જીિવત થઈ જશે અને ઈઝરાયેલ અહીં કયારેય પરત આવી શકશે નહીં. એટલા માટે એટલા માટે હમાસ તરફથી ૭ ઓકટોબર જેવા અનેક નરસંહાર જેવા પરિણામોની આશંકા બની રહેશે.
હમાસની કાસિમ બ્રિગેડના પ્રવકતા અબુ ઉબૈદાએ કહ્યું કે, જો ઈઝરાયેલ સમજૂતિ વગર સૈન્ય દબાણ બનાવી બંધકોને છોડાવવાનો પ્રયત્ન કરશે તો, અમે તેમને શબપેટીમાં પરત મોકલશું. નિર્ણય લઈ લે કે બંધકોની જીવિત પરત મેળવવા ઈચ્છે છે કે, તેમના શબ. ત્યાં જ ૬ ઈઝરાયલી બંધકોને પરત લઈ આવવામાં નાકામ રહેવા પર પ્રધાનમંત્રી બેંન્ઝામિન નેતન્યાહત્પએ ઈઝરાયેલી જનતાની માફી માંગી છે. નેતન્યાહત્પ એ તેનાથી ઈનકાર કર્યેા કે, બંધકોને એટલા માટે મારવામાં આવ્યા કે, તેમની શર્તને કારણે યુદ્ધવિરામ સમજુતિ થઈ શકી નગીં. તેમને કહ્યું કે, હમાસ સમજૂતિ નથી ઈચ્છતું એટલા માટે બંધકોને મારી દીધા.
બ્રિટનના એમ કહેતા ઈઝરાયેલને વધુ હથિયાર આપવા પર રોક લગાવી દીધી કે, તેમનો ઉપયોગ આંતરરાષ્ટ્ર્રીય કાયદાના ઉલ્લંઘન માટે થઈ શકે છે. બ્રિટને વિદેશ સચિવ ડેવિડ લૈમીને કહ્યું કે, ઈઝરાયલે ૩૫૦ હથિયારના નિકાસ લાઈસન્સમાંથી ૩૦ને સસ્પેન્ડ કર્યા છે. રોકવામાં આવેલ નિકાસમાં ફાઈટર જેટ, હેલિકોપ્ટર અને ડ્રોનના પાટર્સનો સમાવેશ થાય છે.
અમેરિકા ઈજિ અને કતરની મધ્યસ્થતામાં યુદ્ધ વિરામ માટે કરવામાં આવી રહેલ સમજૂતિ પર પણ અમેરિકાએ ઈઝરાયલની સામે સ્પષ્ટ્ર કયુ છે કે, બાઈડન પ્રશાસન તરફથી યુદ્ધ વિરામનો અંતિમ પ્રયાસ હશે. યુદ્ધ વિરામ સમજુત અથવા તો ઈઝરાયલ માની લે અથવા તો પછી તેને છોડી દે. આ ડીલને અંતિમ પ આપવા માટે વાતચિત ચાલુ છે આવનાર સાહોમાં આ વાત પર સહમતિની અપેક્ષા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMજન્માષ્ટમી સુધીમાં રાજકોટમાં જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ થશે કાર્યરત
April 12, 2025 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech