નેપાળમાં ત્રિશુલી નદીમાં બસ ખાબકતા સાતનાં મોત, ૩૦ ઘાયલ

  • March 07, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેપાળના બાગમતી પ્રાંતમાં વહેલી સવારે એક પેસેન્જર બસ નદીમાં પડી જતાં એક મહિલા સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને ૩૦ અન્ય ઘાયલ થયા હતા. સમાચાર મુજબ ઘાટબેસી વિસ્તારમાં કાઠમંડુ જઈ રહેલી પેસેન્જર બસ પર ડ્રાઈવર કાબૂ ન રાખી શકયો અને તે ત્રિશુલી નદીમાં પડી ગઈ. ધાડિંગ જિલ્લા પોલીસ કચેરીના પોલીસ અધિક્ષક (એસપી) ગૌતમ કેસીના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં એક મહિલા સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા.

તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૩૦ મુસાફરો ઘાયલ થયા છે. નેપાળ પોલીસ, આમ્ર્ડ પોલીસ ફોર્સ અને નેપાળ આર્મી સાથે સ્થાનિક લોકોએ આ લોકોને બચાવ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, ગૌતમ કેસીએ જણાવ્યું હતું કે ઘાયલોને બચાવી લેવામાં આવ્યા હતા અને સ્થાનિક આરોગ્ય સુવિધામાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે કાઠમંડુ લઈ જવામાં આવ્યા હતા

પોલીસે બસ ચાલકની ધરપકડ કરી
મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. પોલીસે બસ ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. યારે બસ નદીમાં પડી ત્યારે મુસાફરોને થયેલી ઇજાઓને ધ્યાનમાં રાખીને મૃત્યુઆકં વધવાની ધારણા છે. અહેવાલમાં જણાવાયું છે કે સશક્ર પોલીસ દળો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ સ્કૂલ, કુરિન્તર, ચિતવનની એક ટીમ પણ બચાવ કામગીરીમાં સામેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application