સ્વાતંત્રય પર્વ પૂર્વે હીરાસર એરપોર્ટ પર સુરક્ષાની કસોટી

  • August 14, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વાતંત્રય પર્વની પૂર્વ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને આંતકવાદીઓએ નિશાન બનાવતા સુરક્ષા દળના જવાનોએ ઓપરેશન સફળતાપૂર્વક પાડી બે ત્રાસવાદીને ઠાર કરી દીધો હતો અને બે ને દબોચી લીધા હતા. એરપોર્ટમાં વિસ્ફોટક સામગ્રીઓ લઈને ચાર આંતકવાદીઓ કાર સાથે ઘૂસી ગયા હતા અને સુરક્ષા જવાનો પર ફાયરિંગ કયુ હતું.આંતકવાદીઓને ભરી પીવાના જુસ્સા સાથે સી.આઈ.એસ.એફ.ના જવાનો અને પોલીસ દ્રારા આંતકવાદીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે ત્રાસવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી હતી. હવાઈ સુરક્ષા સંસ્કૃતિ સાહ અને ૧૫ મી ઓગસ્ટના સ્વતંત્રય પર્વ અને અનુલક્ષીને પોલીસ કમિશનર દ્રારા યોજાયેલી મોક ડ્રીલમાં સુરક્ષા દળના જવાનોની કસોટી લેવામાં આવી હતી. જેમાં પોલીસ અને સીઆઈએસએફના જવાનોને સફળતા મળી હતી.
હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બીજી વખત મોકડિ્રલ કરવામાં આવી હતી જેમાં આ વખતે આંતકવાદીઓ એરપોર્ટમાં વિસ્ફોટક સામગ્રીઓ સાથે ઘૂસી જાય છે તે વિષયને લઈને આ મોકડિ્રલ કરાઈ હતી. આ ઓપરેશનમાં સીઆઈએસએફના ૨૩ જવાનો, એસ.ઓ.જી.ના ૧૭ અને કયું.આર.ટી.ના છ જવાનો તેમજ એરપોર્ટ ઓથોરિટીના ૨ મળી કુલ ૪૮ જવાનોએ આ ઓપરેશન ને સફળતાપૂર્વક પાર પાડું હતું.
બપોરના સમયે આ મોક ડ્રીલ કરવામાં આવી ત્યારે થોડીવાર પેસેન્જરમાં ભય ફેલાયો હતો. જોકે આખરે મોકડિ્રલ જાહેર થતાં રાહતનો શ્વાસ લીધો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application