લઘુમતિ શિષ્યવૃતિ મેળવવા કૌભાંડની આશંકા ગુજરાતમાં પંચાવન હજાર અરજીની ચકાસણી

  • December 06, 2023 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા લઘુમતી શિષ્યવૃત્તિ મેળવવામાં ગેરરીતી થઈ હોવાના પગલે તમામ રાજ્યમા લઘુમતી શિષ્યવૃત્તિ મેળવનારના દસ્તાવેજોની ચકાસણી કરવાના આદેશ આપ્યા છે જેના પગલે ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ એક્શન મોડ પર આવ્યું છે.
વર્ષ 2022-23 માં લઘુમતી શિષ્યવૃત્તિ મેળવવા માટે કુલ 25 લાખ અરજદારોએ અરજી મળી હતી અરજદારોના આધાર કાર્ડ અને બાયોમેટ્રિક ની ચકાસણી કરતા નકલી લાભાર્થીઓ ભાંડાફોડ થયો છે.દેશમાં લઘુમતી શિષ્યવૃત્તિ મેળવવા માટે કરાયેલી અરજીઓ પૈકી સાતેક લાખ અરજીઓ શંકાસ્પદ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેના પગલે ગુજરાત સહિત તમામ રાજ્યોને આ અરજીની ચકાસણી કરવા આદેશ કરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા દર વર્ષે ધોરણ 9 થી માંડીને અનુસ્નાતક સુધી લઘુમતી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવશે ગુજરાતમાં દર વર્ષે લઘુમતી શિષ્યવૃત્તિ મેળવવા માટે અંદાજે 1.56 લાખ અરજીઓ આવે છે આ મામલે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા ને જણાવ્યું છે કે કેન્દ્રીય લઘુમતી મંત્રાલયની સૂચના ના આધારે લઘુમતી શિષ્યવૃત્તિની અરજીઓની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે લઘુમતી શિષ્યવૃત્તિ મેળવવા માટે 55 હજાર જેટલી અરજીઓ એ પુન: ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ રાજ્યમાં એક પણ શંકાસ્પદ અરજદાર હોય તેવું લાગતું નથી. તેનું કારણ ગુજરાતમાં નોડલ ઓફિસર દસ્તાવેજોની પૂર્તતા અને ચકાસણી કયર્િ બાદ જ શિષ્યવૃત્તિ મંજૂર કરવામાં આવે છે એટલું જ નહીં શિષ્યવૃત્તિની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી રહી છે.ગુજરાતમાં લઘુમતી શિષ્યવૃત્તિની અરજીમાં ગોટાળો થવાની શક્યતા નહીંવત છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application