જર્મન વૈજ્ઞાનિકોએ એક ’હીલિંગ પેચ’ વિકસાવ્યો છે જે હાર્ટ એટેકથી ક્ષતિગ્રસ્ત હૃદયને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ શોધ એવા દર્દીઓ માટે વરદાન સાબિત થશે જેમને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અથવા મોંઘા કૃત્રિમ હૃદય પંપ્ની જરૂર છે. ગાર્ડિયનના અહેવાલ મુજબ, જર્મનીના યુનિવર્સિટી મેડિકલ સેન્ટર ગોટીંગેનના સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં 6.4 કરોડથી વધુ લોકો હાર્ટ ફેલીયરથી પીડાય છે. આનાથી હૃદયરોગનો હુમલો, હાઈ બ્લડ પ્રેશર અને કોરોનરી ધમની રોગનું જોખમ વધી શકે છે. વૈજ્ઞાનિકોએ જૈવિક ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક પેચ વિકસાવ્યો છે જે હૃદયની સંકોચન ક્ષમતાને પુન:સ્થાપિત કરી શકે છે.
સંશોધકોમાંના એક પ્રોફેસર ઇન્ગો કુત્સ્કાના જણાવ્યા અનુસાર, આ સંશોધનમાં પ્રથમ વખત પ્રયોગશાળામાં વિકસિત જૈવિક ટ્રાન્સપ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે હૃદયના સ્નાયુઓને મજબૂત અને સ્થિર કરવાની ક્ષમતા ધરાવે છે.
વૈજ્ઞાનિકોએ લોહીમાંથી લીધેલા કોષોમાંથી પેચ બનાવ્યો. આ સ્ટેમ સેલ્સની જેમ ફરીથી પ્રોગ્રામ કરવામાં આવે છે. કોષો હૃદયના સ્નાયુ અને જોડાયેલી પેશી કોષોમાં રૂપાંતરિત થાય છે. પછી તેને કોલેજન જેલમાં વિકસાવવામાં આવે છે અને એક ખાસ ઘાટમાં ઢાળવામાં આવે છે. હેક્ઝા પેચો લગભગ પાંચ બાય 10 સેન્ટિમીટરના પટલ પર લગાવવામાં આવે છે.
અભ્યાસના સહ-લેખક પ્રોફેસર વુલ્ફ્રામ-હુબર્ટસ ઝિમરમેનએ જણાવ્યું હતું કે આ પેચ હૃદયની નિષ્ફળતાથી પીડાતા દર્દીઓમાં યુવાન હૃદયના સ્નાયુઓનું પ્રત્યારોપણ કરવા સમાન છે. આ હૃદયની કાર્યક્ષમતામાં સુધારો કરી શકે છે. હૃદયના સ્નાયુમાં સીધા કોષો દાખલ કરવાથી ગાંઠોની રચના અથવા અનિયમિત ધબકારા જેવી સમસ્યાઓ થઈ શકે છે. નવો પેચ આ જોખમોને ઘટાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech