વાવાઝોડાની શક્યતાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓમાં બે દિવસની રજા જાહેર

  • June 12, 2023 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમ અને મંગળવારે વિદ્યાર્થીઓ માટે રજા, જ્યારે શિક્ષકોને રાબેતા મુજબ જવાનું રહેશે: દેવભૂમિ દ્વારકા જિલ્લાની જવાબદારી ગૃહ મંત્રી હર્ષ સંઘવીને

રાજ્યમાં સંભવિત બીપોરજોય વાવાઝોડાના પગરવ હવે સંભળાઈ રહ્યા છે અને આગામી ચાર દિવસ સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન તથા વરસાદ સાથે વાવાઝોડાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી રહી છે. ત્યારે હાલ પશ્ચિમના છેવાડાનાનો એવો દેવભૂમિ દ્વારકા જિલ્લો હાલ રેડ ઝોનમાં આવી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભયાવાહ વાવાઝોડાના કારણે તારાજી ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જિલ્લાના શિક્ષણ તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને સોમવાર તારીખ ૧૨ તથા મંગળવાર તારીખ ૧૩ સુધી જિલ્લાની તમામ શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ રાખવાનો આદેશ જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણીયા દ્વારા જારી કરવામાં આવ્યો છે. જો કે શિક્ષકોએ શાળામાં ફરજિયાત પણે હાજર રહેવા પણ વધુમાં જણાવ્યું છે.
**
દેવભૂમિ દ્વારકા જિલ્લાની જવાબદારી ગૃહમંત્રી હર્ષ સંઘવીને
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના જુદા જુદા મંત્રીઓને દરિયા કાંઠાનાના જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની જવાબદારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ્યારે ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને જામનગર જિલ્લામાં વાવાઝોડા સંદર્ભેની જવાબદારી સોંપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application