વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, 3.5 ની તીવ્રતાનો અનુભવાયો આંચકો

  • September 08, 2023 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારે 4.12 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે વહેલી સાવરે ભાવનગર જિલ્લા સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માં હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે, પ્રાપ્ત માહિતી મુજબ ભૂકંપનો આંચકો વહેલી સવારે અનુભવાયો છે, જો કે આ આંચકાથી કોઈ જાનહાનિના કે નુકસાનના અહેવાલ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર સહિત ઘોઘા, તળાજા, પાલીતાણા તેમજ સિહોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી લગભગ 30 કિમી દૂર નોંધાયુ હતું. આજે વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠતા લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. 


ભૂકંપના રિકટર સ્કેલ અને અસર

0થી 1.9 – માત્ર સિસ્મોગ્રાફથી તેની જાણ થાય છે, 2થી 2.9 – હળવું કંપન, 3થી 3.9 – ટ્રક નજીકથી પસાર થાય તેવું કંપન, 4થી 4.9 – બારીના કાચ તૂટે, 5થી 5.9 – ફર્નિચરમાં હલચલ, 6થી 6.9 – મકાનોના પાયા હલે છે, 7થી 7.9 – મકાનો પડી શકે છે, 8થી 8.9 – પુલો પણ પડી શકે અને સુનામીનું જોખમ, 9થી વધારે – સંપૂર્ણ તબાહી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application