ધ્રોલમાં સેન્ટીંગના ધંધાર્થીનો આર્થિક સંકળામણના કારણે આપઘાત

  • September 04, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલમાં રહેતા સેન્ટીંગના ધંધાર્થીએ ગઈકાલે પોતાના ઘેર આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. જે મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.
ધ્રોલમાં રાધે પાર્ક સોસાયટીમાં રહેતા અને સેન્ટીંગનો વ્યવસાય કરતા પ્રફુલ માધવજીભાઈ ધોળકિયા નામના ૪૫ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતાં તેને પરિવારજનો દ્વારા તાત્કાલિક અસરથી સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
 આ બનાવ અંગે મૃતકના પિતા માધવજીભાઈ ખીમજીભાઇ ધોળકિયાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ ધ્રોલની સરકારી હોસ્પિટલે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક સેન્ટીંગનો વ્યવસ્થા કરતા હતા, અને હાલમાં સેન્ટીંગનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી મનમાં લાગી આવતા આર્થિક ભીંસના કારણે આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જણાવાયું છે.
**
ખંભાળિયામાં બ્રેઈન હેમરેજના કારણે આધેડનું મૃત્યુ
ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાંથી શનિવારે આશરે ૬૦ વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપળ્યો હતો. આ આધેડના માથાના ભાગે હેમરેજ જેવી ઇજાઓ થવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર થયું છે. આ અંગેની જાણ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મૂળ વતની અને હાલ જામનગરની પી.જી. હોસ્ટેલમાં રહેતા ડો. ટ્વિંકલ મયંકભાઈ જેસાણી (ઉ.વ. ૨૪) એ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application