સાહીલ સગીરાને ભગાડી નાગપુર,એમ.પી. યુ.પી લઇ ગયો’તો:દુષ્કર્મ પણ આચર્યું’તુ

  • March 03, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને પડધરીમાં રહેતો શખસ ભગાડી ગયા અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાદમાં સગીરાની માતા, સગીરા અને તેને ભગાડી જનાર વિધર્મી શખસ ત્રણેયના અલગ-અલગ વિડીયો સામે આવ્યા હતાં. જેના લીધે આ પ્રકરણ સતત ચર્ચામાં રહ્યું છે. દરમિયાન પ્ર.નગર પોલીસની ટીમે યુપીમાંથી સગીરાને શોધી કાઢી તેને ભગાડી જનાર સાહિલ નામના શખસને ઝડપી લીધો હતો. આ ઉપરાંત સાહિલનો કૌટુંબિક ભાઇ સમીર પણ થોરાળા વિસ્તારમાંથી સગીરાને ભગાડી ગયો હોય પોલીસે આ ચારેયને લઇ રાજકોટ પહોંચી હતી.પોલીસની તપાસમાં આ બંને શખસોએ સગીરા પર દુષ્કર્મ આચર્યાનું ખુલતા બંને સામે પોકસો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યો છે.આજે બંનેને રિમાન્ડની માગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.



શહેરના રેલનગર વિસ્તાર પાસે રહેતી મહિલાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં તેમની ૧૫ વર્ષની સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ સગીરાની માતાએ મીડિયા સમક્ષની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના ભાઈની હોટલમાં પડધરીમાં રહેતો સાહિલ સંઘાર નામનો શખસ કામ કરતો હોય અને તે તેમની દીકરીને લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ સગીરાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે પોતાની મરજીથી ગઈ હોવાનું કહેતી હોવાનું જણાઈ રહ્યું હતું. બાદમાં જેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો તે સાહિલનો વિડીયો પણ સામે આવ્યો હતો. ત્યારબાદ સાહિલ વિરુદ્ધ આક્ષેપ કરનાર અન્ય એક યુવતીનો વિડીયો પણ સામે આવ્યો હતો. જેને લઇ આ ઘટના ખૂબજ ચર્ચાસ્પદ બની હતી.


દરમિયાન પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવાની રાહબરી હેઠળ પીસઆઇ આઇ.એ.બેલીમ તથા ટીમ સગીરાને શોધી કાઢવા માટે તપાસમાં હોય ત્યારે એવી માહિતી મળી હતી કે, સગીરા હાલ યુપીમાં છે જેથી પોલીસની ટીમ અહીંથી યુપી રવાના થઈ હતી. અહીં યુપી નેપાળ બોર્ડર પર આવેલા પતાલા ગામ પાસેથી પોલીસે સાહિલને ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી.



પોલીસ તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, સાહીલ અહીં તેના કૌટુંબિક ભાઈ સમીર અકબરભાઈ સંઘાર (ઉ.વ 25 રહે. બાલાચડી, જામનગર) ની સાથે મળી બોર્ડર ક્રોસ કરીને નેપાળમાં ભાગી જવાની ફિરાકમાં હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં પોલીસે આ સમીરને પણ ઝડપી લીધો હતો સમીર થોરાળા વિસ્તારમાંથી સગીરાને ભગાડીને અહીં લાવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે ચારેયને રાજકોટ લાવી બાદમાં નિયમ મુજબ બંને સગીરાઓનું મેડિકલ ચેકઅપ કરાવતા બંને આરોપી હોય તેના પર દુષ્કર્મ આ કર્યું હોવાનું માલુમ પડ્યું હતું.


પોલીસ તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, સાહિલ સગીરાને ભગાડી ગયા બાદ તેણે તેના કૌટુંબિક ભાઈ સમીર સાથે સંપર્ક કર્યો હતો અને બંને નેપાળ બોર્ડર નજીક પતાલ ગામ પાસે તેમના સંબંધીના ઘરે રોકાયા બાદ અહીંથી નેપાળ ચાલ્યા જવાનુ નક્કી કર્યું હતું. જોકે, બંને મળે તે પૂર્વે છે પોલીસ પહોંચી ગઈ હતી.સાહીલ સગીરાને અહીંથી ભગાડી ગયા બાદ પ્રથમ નાગપુર બાદમાં એમપી અને ત્યારબાદ યુપી પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જ્યારે તેના ભાઈ સમીરે ૧૫ દિવસ પૂર્વે થોરાળા વિસ્તારમાંથી સગીરાને ભગાડી ગયો હતો તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. પોલીસે બંને આરોપીઓ સામે દુષ્કર્મ,પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી બંનેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application