જામનગર જિલ્લાના વિવિધ એસ.ટી.ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન

  • April 09, 2025 02:51 PM 

જામનગર જિલ્લાના વિવિધ એસ.ટી.ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન

ગરમીમાં રાહત આપતી આ પ્રકારની નવતર પહેરને મુસાફરોએ આવકારી

જામનગર તા.09 એપ્રિલ, હાલ ગરમીના કારણે જિલ્લાના જામનગર એસ.ટી.ડેપો તથા અન્ય તાલુકા કક્ષાના બસ સ્ટેશન ખાતેથી આવાગમન કરતા મુસાફરોને રાહત મળે તેમજ કોઈ મુસાફરને લૂ ની અસર ન થાય તે હેતુથી એસ.ટી.વિભાગ જામનગરના વિભાગીય નિયામક શ્રી બી.સી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના વિવિધ એસ.ટી. ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં એસ.ટી.વિભાગના કર્મચારીઓ તથા એસ.ટી. કેન્ટીનનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.અસહ્ય ગરમીમાં આ પ્રકારના આયોજન બદલ મુસાફરોએ પણ એસ.ટી. વિભાગની આ નવતર પહેલે આવકારી સંતોષ વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લાના લોકોને લૂ થી રક્ષણ મળે અને તેઓ સલામત રહે તે માટે જિલ્લાના વિવિધ વિભાગોને સૂચના અપાઈ હતી જેના અનુસંધાને જામનગર એસ.ટી.વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુસાફરોને ગરમીથી રાહત આપતા છાસ વિતરણના નવતર કાર્યક્રમનું આયોજન ઘડી કાઢ્યું છે અને આગામી સમયમાં પણ આ કાર્યક્રમ શરૂ રખાશે તેમ જણાવ્યું છે.
0000000



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application