અપ્રમાણસર મિલકતના કેસમાં સાગઠિયા બપોર બાદ કોર્ટ હવાલે

  • July 08, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ભયાવહ: અગ્નિકાંડની ઘટનામાં 27 વ્યકિતએ જીવ ગૂમાવ્યા હતાં.આ કેસના આરોપી એવા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની ધરપકડ થયા બાદ તેની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેમાં એસીબીની તપાસ દરમિયાન રોકડ અને દાગીના મળી 28 કોરડની વધુની મિલકત મળી આવી છે.આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના છ દિવસના રિમાન્ડ આજે પુરા થતા બપોર બાદ તેને કોર્ટ હવાલે કરવામાં આવશે.
જયારે બીજી તરફ આ ઘટનામાં સાગઠિયાએ મોટા પ્રમાણમાં સોનાના રોકાણ કર્યું હોય અને તેને દાગીના શહેરના ટોંચના જવેલર્સ પાસેથી ખરીદ્યા હોવાનું સામે આવતા એસીબીની ટીમ દ્વારા આ જવેલર્સ પેઢીના સંચાલકોની પણ પુછપરછ કરવામાં આવી છે.
સસ્પેન્ડ પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયા સામે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો અંગે એસીબીએ ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં તેની ધરપકડ કયર્િ બાદ તેના ભાઈની ઓફિસમાં તપાસ કરતાં ત્યાંથી 18.18 કરોડની મત્તા મળી આવી હતી. જેમાં 22 કિલોથી વધુ સોનાના દાગીનાનો હતાં. પૂછપરછમાં સાગઠિયાએ સોનાના આ દાગીના ભ્રષ્ટાચારના નાણામાંથી ખરીદ કયર્નિી કબૂલાત આપી હતી.
એસીબી હાલ સાગઠિયાએ નિવેદનમાં જે હકીકતો જણાવી છે તેનું ક્રોસ વેરિફિકેશન કરી રહી છે. તપાસ માટે સીટની પણ રચના કરવામાં આવી છે. તેના અધિકારીઓ પણ હાલ સાગઠિયાની પૂછપરછ કરી રહ્યા છે. સાગઠિયા સામે કુલ ત્રણ ગુના નોંધાયા હતા. જેમાંથી બે ગુનામાં અગાઉ ધરપકડ થઇ ચૂકી છે. એસીબીના ત્રીજા ગુનામાં હાલ રિમાન્ડ પર છે. જે રિમાન્ડ આજે પુરા થઇ રહ્યા છે.જેથી બપોરબાદ સાગઠિયાને કોર્ટ હવાલે કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સાગઠિયા પાસેથી 28 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. જે ગુજરાત એસીબી માટે રેકર્ડબ્રેક સમાન છે. એસીબીએ ઇન્કમટેક્સ અને ઇડીને પણ રિપોર્ટ કર્યો છે. જે જોતાં ટૂંક સમયમાં આ બંને વિભાગો દ્વારા પણ સાગઠિયા વિરૂધ્ધ તપાસ શરૂ કરાય તેવી સંભાવના છે.
બીજી તરફ સાગઠિયાએ ભ્રષ્ટાચારના પૈસાથી મોટા પ્રમાણમાં સોનામાં રોકાણ કર્યું હોય અને આ જવેલરી તેણે શહેરના ટોચના જ્વેલર્સ પાસેથી ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બાબતે શહેરના જાણીતા જવેલર્સ પેઢીના સંચાલકોના પણ નિવેદન એસીબી દ્વારા લેવામાં આવ્યા હોવાનું માલુમ પડ્યું છે. જોકે, સાગઠીયાએ આ સોનુ કોના માટે ખરીદ્યું હતું? અથવા કોના નામથી ખરીદ્યું હતું તે અંગેની કોઈ વિગત સ્પષ્ટપણે જાણતા ન હોવાનું ઝવેરીઓએ જણાવ્યાનું જાણવા મળે છે.

અગ્નિકાંડના બે માસ થાય તે પૂર્વે ચાર્જશીટ ફાઇલ કરવા પ્રયાસ
ચકચારી અગ્નિકાંડ કેસમાં સાગઠિયાને કોર્ટ હવાલે કયર્િ બાદ એસીબી બને એટલી ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરશે. આ જ રીતે અગ્નિકાંડની તપાસ કરી રહેલી સીટ પણ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા માગે છે. આગામી તા. 25મીએ અગ્નિકાંડને બે માસ પૂરા થઇ રહ્યા છે. તે પહેલા આ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરવા માટે સીટ હાલ પ્રયાસો કરી રહી છે.

કયા નામથી બિલ બનાવ્યું ખ્યાલ નથી: રાધિકા જવેલર્સ
અમારે ત્યાંથી સોનું ખરીદ્યાની અફવા છે: શિલ્પા જવેલર્સ

સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ સાગઠીયાની અપ્રમાણસર મિલકતના કેસમાં એસીબી ધરપકડ કયર્િ બાદ તેના ભાઈની ઓફિસમાં તપાસ દરમિયાન મોટાપાયે જ્વેલરી મળી આવી હતી. જેના પરથી એવો કયાસ કાઢવામાં આવ્યો હતો કે, ભ્રષ્ટાચાર નાણાથી સાગઠિયાએ સોનામાં મોટું રોકાણ કર્યું છે.ત્યારે આ બાબતે પોલીસે શહેરના ટોંચના સોની વેપારીઓ કે જેમની પાસેથી સાગઠિયાએ સોનું ખરીદ્યુ હોવાની માહિતી મળી છે તેમની પૂછપરછ કરી છે.દરમિયાન આ બાબતે રાજકોટના રાધિકા જ્વેલર્સના અશોકભાઈએ જણાવ્યું હતું કે, એમ.ડી સાગઠિયાએ તેમને ત્યાંથી સોનું ખરીદ્યું હોય પણ તે જૂની વાત હોય જેથી તેમણે સોનુ કોના નામથી ખરીદ્યું હતું અથવા તો બિલ કોના નામનું બનાવ્યું હતું? તે વિશે તેઓ જાણતા નથી. આ ઉપરાંત તેમણે ગોંડલ માંથી પણ સોનું ખરીદ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. જ્યારે આ બાબતે શિલ્પા જવેલર્સના સંચાલકે જણાવ્યું હતું કે, પૂર્વ ટીપીઓ સાગઠિયાએ અમારી પેઢીમાંથી સોનું ખરીદ્યાની વાતો સામે આવી રહી છે પરંતુ આ માત્ર અફવા છે તેમને અમારે ત્યાંથી કયારેય જવેલરી ખરીદી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application