- ગંગુબાઇને આજે પણ આ અફવા અંગે બહુ દુઃખ છે, તે કહે છે- આ લખનારે મગજની સારવાર કરાવવી જોઇએ
- આલિયા ભટ્ટ ગઇકાલે 15 માર્ચના રોજ 30મો જન્મ દિવસ ઉજવ્યો
આલિયા ભટ્ટે ગઇકાલે 30મો જન્મદિવસ ઉજવ્યો. તેનો જન્મ 1993માં 15મી માર્ચે થયો હતો. તેણે નાની ઉંમરમાં મોટું નામ કમાયું છે. આજે તે બોલિવૂડની સૌથી વધુ ફી લેતી અભિનેત્રીઓમાંની એક છે. તેની નેટવર્થ 21.7 મિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણમાં 158 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હવે તે રણબીર કપૂરની પત્ની અને એક દીકરીની માતા છે.તેના કરોડો ચાહકો છે. તેનું નામ દેશની ટોપ 10 અભિનેત્રીઓમાં સામેલ છે.
એક દાયકાની કારકિર્દીમાં આલિયાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તે પોતાની પ્રોફેશનલ લાઇફ કરતાં અંગત જીવનને લઇને વધુ ચર્ચામાં રહી છે. ક્યારેક આલિયા ભટ્ટને તેના IQ લેવલને લઈને તો ક્યારેક નેપોટિઝમના કારણે ટ્રોલ કરવામાં આવી છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક રીતે અગાઉ આલિયાને પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટની પુત્રી માનવામાં આવતી હતી. આ ચોંકાવનારી અફવા અંગે ખુદ આલિયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
મહેશ ભટ્ટ અને પુત્રી પૂજા ભટ્ટે એક મેગેઝિનના કવર માટે શૂટિંગ કર્યું હતું. ત્યારબાદ ઘણો વિવાદ થયો હતો. આ અફવા આ શૂટ બાદ પ્રસારિત થઈ હતી. આ સાથે જ મહેશ ભટ્ટે ઈન્ટરવ્યૂ દરમિયાન પૂજા વિશે કહ્યું હતું કે જો પૂજા તેની દીકરી ન હોત તો તેણે તેની સાથે લગ્ન કરી લીધા હોત. મહેશના આ નિવેદન બાદ એવી વાતો વહેતી થઇ હતી કે આલિયા મહેશ અને પૂજાની પુત્રી છે. આ વાત અંગે આલિયાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.
આલિયા ભટ્ટે કરણ જોહરના ચેટ શો...કોફી વિથ કરણ'માં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેના વિશે સૌથી ખરાબ અફવા અંગે પૂછવામાં આવ્યું તો આલિયા ભટ્ટે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે...
હું મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટની દીકરી છું. આ પછી 2 સ્ટેટ્સના પ્રમોશન દરમિયાન આલિયા ભટ્ટે આ અફવા પર ફરીથી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ ખૂબ જ ફની છે. મને લાગે છે કે જેણે પણ આ લખ્યું છે તેણે તેના મગજની સારવાર કરાવવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech