રાજકોટ નગર રચના યોજનાના નગર રચના અધિકારી, નગર નિયોજક-1 એમ.આર. મોણવેલવાલા દ્વારા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ નગર રચના યોજના નં.77 (વાજડીગઢ)ની અધિસૂચના જાહેર કરવામાં આવી છે, આ માટે જો કોઇ ને વાંધા-સૂચન હોય તો આગામી તા.30 જૂન સુધીમાં રજૂ કરવાના રહેશે.
ટીપી સ્કિમ નં.77માં વાજડીગઢ ગામના રેવન્યૂ સર્વે નંબર 8 પૈકી, 11 પૈકી, 12થી 42, 47થી 61, 62 પૈકી, 63થી 66, 67 પૈકી, 77 પૈકી, 80 પૈકી, 81 પૈકી, 82 પૈકી, 123 તેમજ 124 પૈકી ખાનગી અને સરકારી ખરાબાના સર્વે નંબર પૈકીની જમીનનો સમાવેશ થાય છે.
આ યોજનાના હદ વિસ્તારમાં (ચતુર્સીમા)માં ઉત્તરે મોજે ન્યારા ગામના અન્ય રેવન્યૂ સર્વે નંબરો આવેલા છે. દક્ષિણે મોજે વેજા ગામના અન્ય રેવન્યૂ સર્વે નંબરો આવેલા છે. પૂર્વે 45 મીટર ડી.પી. રોડ તથા સ્માર્ટ સિટી નોડમાં સ્થિત પ્રારંભિક નગર રચના યોજના નં.32 (રૈયા) આવેલ છે. પશ્ચિમે મોજે વાજડીગઢ ગામના અન્ય રેવન્યૂ સર્વે નંબરો આવેલા છે.
મુસદ્દારૂપ નગર રચના યજના-77 (વાજડીગઢ)માં કોઇ બાબતમાં હિત ધરાવતી કે અસર પામતી વ્યક્તિઓને તા.30 જૂન સુધીમાં વાંધા-રજૂઆતો લેખિતમાં માલિકીના આધાર-પુરાવા સાથે, નગર રચના યોજના, નગર નિયોજક-1 સમક્ષ રજૂ કરવાના રહેશે. આ યોજનાના લીધે કોઈ વ્યક્તિઓને નુકસાનકારક અસર પહોંચી હોય તો વળતર માટે ત્રણ મહિનામાં જરૂર દસ્તાવેજો સાથે હક્કદાવા રજૂ કરવા. આ યોજનાની નકલ, નગર રચના અધિકારી, નગર નિયોજક-1, જૂનું રૂડા બિલ્ડિંગ, શારદાબાગ સામે, શ્રોફ રોડ, રાજકોટ તથા રૂડા બિલ્ડિંગ, છઠ્ઠો માળ, ચીમનભાઈ પટેલ વિકાસ ભવન, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવી છે, જે કચેરી સમય દરમિયાન જોઇ શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMસંઘર્ષ યુક્રેનનો હોય કે પશ્ચિમ એશિયાનો, તેની અસર થાય છે: જયશંકરે વ્યક્ત કરી ચિંતા
October 05, 2024 05:15 PMવંદે ભારત પર શા માટે થયો પથ્થરમારો? તપાસમાં મોટો ખુલાસો
October 05, 2024 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech