જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં રેંકડી અને પથ્થારાવાળાઓને દૂર કરવામાં આવ્યા

  • February 21, 2025 01:15 PM 
  

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં રેંકડી અને પથ્થારાવાળાઓને દૂર કરવામાં આવ્યા


જામનગર શહેરના દરબારગઢથી બર્ધન ચોક થઈ માંડવી ટાવર સુધીના વિસ્તારમાં વર્ષોથી અડીંગો જમાવી બેઠેલા રેંકડી અને પથ્થારાવાળાઓને હટાવવામાં આવ્યા



જામનગર શહેરના દરબારગઢથી બર્ધન ચોક થઈ માંડવી ટાવર સુધીના વિસ્તારમાં વર્ષોથી અડીંગો જમાવી બેઠેલા રેંકડી અને પથ્થારાવાળાઓને કાયમી ધોરણે હટાવવા માટે મહાનગરપલિકા અને પોલીસે સંયુકત અભિયાન હાથ ધરી બર્ધન ચોક વિસ્તારમાં પોલીસચોકી બનાવી દીધી હતી અને આ પોલીસ ચોકી બન્યા બાદ રેંકડી અને પથ્થારાવાળાઓને દૂર કરવામાં આવ્યા હતાં.

જામનગર શહેરના દરબારગઢ થી બર્ધન ચોક થઇને છેક માંડવી ટાવર સુધીના સંપૂર્ણ એરિયામાં રેકડી-પથારાના દબાણોને માટે દૂર કરવા માટે મહાનગરપાલિકાનું તંત્ર અને સિટી-એ ડિવિઝન પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ગઇકાલે બર્ધન ચોક વિસ્તારમાં બર્ધન ચોક વિસ્તારમાં સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામા આવી હતી, જેમાં કુલ 4,900 રૂપિયા નું દંડ ફટકાર્યો આવ્યો હતો. સિટી એ ડિવિઝન પોલીસ તથા જામનગર મહાનગર પાલિકા ની ટુકડી ની આ કાર્યવાહી થી સંપૂર્ણ એરિયામાં રેકડી પથારાના દબાણોને દૂર થઇ ગયા છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application