અમદાવાદના સરખેજ આશ્રમના ચાલી રહેલા વિવાદમાં સમસ્ત કોળી સમાજ રાજકોટ દ્રારા આજે આશ્રમમાંથી મુકત કરાયેલા ઋષીભારતી બાપુની તરફેણમાં રાજકોટ કલેકટરને સંબોધીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
કોળી સમાજના ઋષીભારતી બાપુ આશ્રમમાં ગરીબ પરિવારના બાળકોને ભણતર માટે રહેવાની સગવડ પણ આપતા હતા. પુજાના બહાને કેટલાક વ્યકિતઓ માવતરો સાથે આશ્રમમાં ઘુસી ગયા હતા અને વિધાર્થીઓને ભગાડી જઈ ત્યાં રહેતા સ્વયં સેવકોને પણ કાઢી મુકી આશ્રમ પર કબજો જમાવ્યો હતો. આશ્રમના તાળા તોડી ખોટો વિડીયો બનાવી બાપુને બદનામ કરવામાં આવી રહ્યા છે. કોળી સમાજના મહતં હોવાથી ભેદભાવ રાખીને કબજો લેવાયાના આક્ષેપ કરાયા છે. મહંતને બદનામ કરવા માટે પુરાવા વગરના વિડીયો બનાવી સોશીયલ મીડીયામાં વાયરલ કરવામાં આવ્યા છે તે ડીલીટ કરવામાં આવે અને આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આશ્રમનો કબજો લીધો તે સમયના સીસીટીવી ચેક કરી પુરાવાઓ મેળવીને તટસ્થ તપાસ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવે.
આશ્રમના મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તે સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ બિનઅધિકૃત વ્યકિત પ્રવેશ ન કરે, જેમની પાસે કબજો છે તેની પાસે જ કબજો રહે. કોર્ટનો જે હત્પકમ હશે તે સમાજને શિરોમાન્ય રહેશે તે સહિતના મુદ્દાઓ અને આક્ષેપો સાથે આવેદન પાઠવી મુખ્યમંત્રીને પણ નકલ મોકલવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech