પીએમ મોદીએ પણ આપ્યા હતા ‘ઓપરેશન સિંદૂર’ના અણસાર, જાણો ક્યારે અને કેવી રીતે આપ્યો હતો સંકેત

  • May 08, 2025 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંગળવારે મોડી સાંજે પીએમ નરેન્દ્ર મોદી એક મીડિયા નેટવર્કના કાર્યક્રમમાં હતા. જતા જતા તેમણે સ્મિત કર્યું અને સંકેત આપ્યો કે રાત ઘણી લાંબી થવાની છે. પણ ત્યારે કોઈએ વિચાર્યું નહી હોય કે ઓપરેશન સિંદૂરના કારણે રાત લાંબી થવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 11 વાગ્યે પીએમ મોદી, એનએસએ અજિત ડોભાલ અને કેટલાક પસંદગીના લોકો પીએમઓમાં ઓપરેશન સિંદૂર શરૂ થાય તે પહેલાં તેની સાથે સંબંધિત દરેક નાની માહિતી લઈ રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી સતત બેઠકો પછી, ઓપરેશનના દરેક પાસાં પર પૂરતા વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા.


રાત્રે લગભગ 1 વાગ્યે જ્યારે સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું ત્યારે પીએમ મોદીએ શાંતિથી બધી માહિતી લીધી અને આગામી ત્રીસ મિનિટ સુધી સમગ્ર ઓપરેશન પર નજર રાખી. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ એમ પણ કહ્યું કે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનથી બદલો લેવાની રણનીતિ બનાવવામાં આવી રહી હતી, ત્યારે પીએમ મોદીએ સંકેત આપ્યો હતો કે આ ઓપરેશનનું નામ સિંદૂર રાખવામાં આવશે. લગભગ ત્રણ વાગ્યા સુધીમાં જ્યારે ઓપરેશન સફળ જાહેર થયું અને સમાચાર આવ્યા કે તેમાં સામેલ બધા લોકો સુરક્ષિત છે, ત્યારે મીટિંગ સમાપ્ત થઈ.


સૂત્રોના જણાવ્યા અનુસાર આ પછી પીએમ મોદીએ મોડી રાત્રે NSA સાથે બીજી બેઠક કરી જેમાં ભવિષ્યની પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા છે. એકસાથે 9 લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓમાં છુપાયેલા લગભગ 90 આતંકવાદીઓ માર્યા ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application