હિમવર્ષાના કારણે અટલ ટનલમાં ફસાયેલા ૩૦૦ પ્રવાસીઓનું રેસ્કયુ

  • January 31, 2024 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાએ દસ્તક આપી છે. જેના કારણે પ્રવાસીઓ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોહતાંગમાં અટલ ટનલના સાઉથ પોર્ટલ પાસે હિમવર્ષાના કારણે ફસાયેલા ૩૦૦ પ્રવાસીઓને પોલીસે બચાવ્યા છે.

આ દરમિયાન કુલ્લુ, મનાલી અને લાહૌલ સ્પીતિના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા શ થઈ ગઈ છે. લોકો લાંબા સમયથી હિમવર્ષાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હિમવર્ષાને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. લાહૌલ સ્પીતિના પોલીસ અધિક્ષક મયકં ચૌધરીએ જણાવ્યું કે અટલ ટનલના બંને છેડે હિમવર્ષા શ થઈ ગઈ છે.

હિમવર્ષાના કારણે પોલીસ પ્રવાસીઓના વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢી રહી છે. આગામી દિવસોમાં ખરાબ હવામાનને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે અને સ્થાનિક લોકો અને પ્રવાસીઓને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આગળ વધવા વિનંતી કરવામાં આવી છે.

હવામાન ખુલ્યા બાદ ખીણનું તાપમાન સામાન્ય થઈ ગયું હતું. હવે ગઈકાલે સાંજે ફરી એકવાર અટલ ટનલ રોહતાંગના બંને પોર્ટલ પર હિમવર્ષા શ થઈ ગઈ છે. સોલગં નાળાની આસપાસનો વિસ્તાર પણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application