વેરાવળ પાસે દરિયામાં જાળમાં ફસાયેલ ૨૭ ફૂટની વ્હેલ શાર્કનું ૨૫ મિનિટમાં રેસ્ક્યુ

  • April 02, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ નજીક દરીયામાં ૧૨ નોટીકલ માઈલ દુર માછીમારી કરતી બોટે માછલીઓ પકડવા માટે જાળ ફેંકી હતી. આ જાળમાં ૨૭ ફૂટ લંબાઇની વ્હેલ શાર્ક ફસાઇ ગઇ હોવાી રેસ્ક્યૂ ઓપરેશન હા ધરી ૨૫ મિનીટમાં મુક્ત કરવામાં આવી હતી. તેના વિચરણ બાબતે ખાસ ટેગ લગાડવામાં આવી છે. બે દાયકા દરમ્યાન ગુજરાતમાંી ૯૩૦ વ્હેલ માછલીનું રેસ્ક્યૂ કરાયું હોવાનું જાણવા મળેલ છે.વ્હેલ શાર્ક માછલી ગુજરાતના દરિયામાં વસવાટ કરવાનું પસંદ કરે છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારે આ મહાકાય દુર્લભ પ્રજાતિની માછલીના સંરક્ષણ અને સંવર્ધન તેમજ તેના પરિભ્રમણ માટેની પેટર્ન્સ સમજવાના ઉદેશ્ય સો, વન વિભાગ ગુજરાત રાજય અને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્ત ઉપક્રમે કાર્યરત વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેકટ અંતર્ગત પાંચ સેટેલાઇટ ટેગ લગાવવામાં આવનાર છે.નાયબ વન સંરક્ષક અક્ષય જોશીના સીધા માર્ગદર્શન હેઠળ  હા ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં વેરાવળ બંદરી ૧૨ કિમી દુર આકસ્મિક રીતે માછીમારીની જાળમાં ફસાયેલ ૨૭ ફૂટ લાંબી નર વ્હેલશાર્ક માછલીનું રેસ્ક્યું ઓપરેશન કરી સુરક્ષિત પરત છોડી મૂકવાની સો તેના પર  સેટેલાઇટ ટેગ લગાવવામાં આવેલ છે. બાદમાં વેરાવળના રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમ તેમજ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાની ફીલ્ડ ટીમ દ્વારા આ વ્હેલશાર્ક પર સેટેલાઈટ ટ્રાન્સમીટર લગાવવાનું કામ સંપન્ન કરવા માટે કામગીરી કરાઈ હતી.

 તે પ્રક્રિયાનું પૂર્ણ વા અને આ દરિયાઈ વન્યપ્રાણીને સમુદ્રમાં પ્રકૃતિ સંપન્ન સ્થિતિમાં છોડવા માટે ૨૫  મિનિટનો સમય લાગ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application