જામનગરના સાધના કોલોની વિસ્તારમાં માથાભારે તત્વોનો ત્રાસ

  • December 12, 2023 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છુટકારો અપાવવા માટે વેપારીઓની કોર્પોરેટરને સાથે રાખીને રજૂઆત

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે તત્વોનો ત્રાસ વધી ગયો છે, અને જાહેરમાં મારામારી અને ભયનું વાતાવરણ ઊભું થાય તેવા બનાવો બની રહ્યા છે, ત્યારે આવા માથાભારે તત્વોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે સ્થાનિક વેપારીઓએ રેલી સ્વરુપે સીટી એ. ડિવિઝન પોલીસ મથકે પહોંચી જઈ સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને રજૂઆત કરી છે.
સાધના કોલોની વિસ્તારમાં કેટલાક માથાભારે તત્વો છાશવારે જાહેરમાં બખેડો કરી ભયનું વાતાવરણ ઊભું કરતા હોવાથી વેપારીઓને ખૂબ જ પરેશાની રહે છે.  તેઓના ત્રાસ માંથી મુક્તિ અપાવવા અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માગણી સાથે ગઈકાલે સાધના કોલોની વેપારી એસોસિએશન દ્વારા મોડી સાંજે રેલી યોજી સિટી એ. ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા, અને સ્થાનિક કોર્પોરેટર વગેરેને સાથે રાખીને આવારા તત્વોમાંથી મુક્તિ આપવા માટેની રજૂઆત કરી હતી. જે અંગે સીટી-એ. ડિવિઝનના પી.આઇ. ચાવડા દ્વારા યોગ્ય કરવા ખાતરી અપાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application