વાંકાનેર શહેરમાં રાજપૂત સમાજ દ્વારા પરસોતમભાઈ રૂપાલા વિરૂધ્ધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવી સમાજ વિશે વિવાદીત નિવેદન આપનાર સામે ફોજદારી ગુનો નોંધી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી વાંકાનેર ક્ષત્રીય સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. આ સાથે જ આગામી દિવસોમાં જો પરસોતમ રૂપાલાની રાજકોટ બેઠક પરથી ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રીય સમાજ દ્વારા તેમના વિરૂધ્ધમાં કાર્યક્રમો કરવામાં આવશે અને તેના વિરૂધ્ધમાં મતદાન પણ કરવાની ચીમકી સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. વેરઝેર વધે તેવા શબ્દો ઉપયોગ કરેલ હોય જે કૃત્ય ફોજદારી કલમ મુજબ ગુનાહીત થતું હોય જેથી તેના પર ફોજદારી કલમ હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરી યોગ્ય સજા કરવામાં આવે તેવી વાંકાનેર તાલુકાના ક્ષત્રીય સમાજની માંગણી હોવાનું જણાવાયું છે. આ બાબત ક્ષત્રીય સમાજ દ્વારા આવેદન પત્રમાં જણાવાયું છે કે, પુરૂષોતમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રીય સમાજની માનહાની થઈ છે અને ક્ષત્રીય રાજપૂત સમાજની લાગણી દૂભાણી છે. આવા નિવેદનથી રૂપાલાએ જ્ઞાતિ-જાતિમાં વ્યમનશ્ય ઉભું કરી જાતિના નામે મત માંગી આદર્શ આચાર સંહિતાનો ભંગ કરેલ છે અને ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech