મામલતદારને સત્તા આપવા તથા સબ રજીસ્ટાર કચેરીની કામગીરીમાં કાયમી દિવસ ફાળવવા યોગ્ય કરવા માંગણી
જામજોધપુર બાર એસો. દ્વારા જામનગર જીલ્લા કલેકટરને એક પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે, જન્મ અને મરણ અધિનીયમ 2023થી ક. 13ના સુધારા અંગેના ભારત સરકારના ગેઝેટ તા. 11-8-23 અન્વયે જામજોધપુર મામલતદારને સત્તા આપવા તથા જામજોધપુર સબ રજીસ્ટાર કચેરીના કામગીરી કાયમી દિવસ ફાળવવા તથા જામજોધપુર સર્કલ નોંધ પ્રમાણીત સમયે અમુક ગામોની પ્રમોલેગેશન નોંધ ન હોવા છતા પુર્તતાનો આગ્રહ નાખતા તેઓને યોગ્ય માર્ગદર્શન આપવા રજુઆત કરી છે.
આગળ જણાવ્યુ છે કે જન્મ-મરણ અધિનીયમ ક.13ની જોગવાઇ મુજબ જીલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદારને કેશ ચલાવવાની સત્તા અપાયેલ છે જેથી જામજોધપુર મામલતદાર સમક્ષ અમોએ અરજદાર વતી કેશ દાખલ કરતા મામલતદાર જામજોધપુરે તેઓને કેશ ચલાવવાની સત્તા ન હોવાના કારણસર અમારી અરજી પ્રાંત અધિકારી સમક્ષ ટ્રાન્સફર કરેલ હોય, તેમજ બીજા એક કેશમાં એક ફાઇલ પ્રાંત અધિકારી લાલપુરની કોર્ટમાં દાખલ કરેલ છે પરંતુ પ્રાંત કચેરી તરફથી કોઇ તારીખ આપવામાં આવેલ નથી, કાર્યવાહી થયેલ નથી, દાદ મેળવવા માટે અગવડતાની પરિસ્થીતી ઉત્પન્ન થયેલ છે.
કારણ કે જામજોધપુરથી લાલપુરનું 45 કીમી જેટલુ અંતર છે, તારીખમાં હાજર રહેવા માટે જામજોધપુરના છેવાડાના ગામ જેવા કે અમરાપર, પરડવા, સતાપર, જામશખપુર, સિદસર જેવા અનેક ગામડાઓને અંદાજે 100 થી 125 કીમી નાછુટકે જવાની ફરજ પડતી હોય જેના કારણે ગરીબ મઘ્યમ વર્ગના અરજદારોને આર્થિક ખર્ચ, સમયની નુકશાની ભોગવવી પડે છે, આથી અરજદારોની પરિસ્થીતી ઘ્યાને લઇને યોગ્ય કાર્યવાહી અને માર્ગદર્શન આપવા રજુઆત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech