ખંભાળિયામાં નવરાત્રીના તહેવારોમાં વિજ વિક્ષેપ ન થાય તે માટે તંત્ર સમક્ષ રજૂઆત

  • October 13, 2023 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં રવિવાર તા. 15 મી થી આદ્યશક્તિની ઉપાસનાના પર્વ એવા નવરાત્રીનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દુઓના પવિત્ર પર્વ નવરાત્રીમાં ખાસ કરીને બહેનો - દીકરીઓ ગરબા રમવા તેમજ માતાજીની સ્તુતિ કરવા માટે જાય છે. આ દિવસોમાં કોઈ કારણોસર વિજ વિક્ષેપ ન સર્જાય અને વિજકાપના લીધે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ખંભાળિયાના પીજીવીસીએલ નાયબ ઈજનેર પી.બી. પંડ્યાને અહીંના સેવાભાવી કાર્યકર અને શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application