મુખ્યમંત્રી દ્વારા દ્વારકા કલેકટરના પુસ્તકનું વિમોચન

  • November 06, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અશોક શર્માએ ગીતા પર લખેલા છ પુસ્તકોનું સંપાદિત પુસ્તક ‘ગીતાનો જીવનધ્વનિ"નું વિમોચન કરી મુખ્યમંત્રીએ કલેકટરને પાઠવી શુભેચ્છા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના પુસ્તકનું વિમોચન કરી વહીવટી નોકરીની સાથે સાથે લેખન દ્વારા ગીતા જ્ઞાનનો પ્રસાદ વાંચકોને પીરસતા રહો તેવી શુભેચ્છા મુખ્યમંત્રીશ્રીએ પાઠવી હતી. આ અગાઉ અશોક શર્મા પોરબંદરના કલેક્ટર હતા ત્યારે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અશોક શર્મા દ્વારા લેખિત પુસ્તક મોહન સે મોહનનું વિમોચન કર્યું હતું.
કલેકટર અને જાણીતા આધ્યાત્મિક લેખક અશોક શર્મા અનેક અખબારોમાં ગીતા પર કોલમ લખતાં જેમને વાચકો તરફથી સારો પ્રતિસાદ મળતો હતો. ત્યારે અશોક શર્મા એ  ગીતા પરના લખેલા છ પુસ્તકો જીવનગીતા, અધ્યાત્મગીતા, મેનેજમેન્ટ ગીતા, રાષ્ટ્ર ગીતા, વિશ્ર્વ ગીતા અને માનવ ગીતાનું સંકલિત સંપાદન ગીતાનો જીવનધ્વનિ પુસ્તકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application