સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની ફળશ્રુતિ
જામનગરમાં રહેતા રેખાબેન ચાગલાણીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે અરજી કરી હતી પરંતુ ટેકનીકલ ક્ષતિના લીધે સહાય મળવામાં વિલંબ થયો હોવાથી તેઓએ જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી હતી. કલેકટર કેતન ઠક્કરે તેમનો પ્રશ્ન સાંભળીને ત્વરિત નિરાકરણ લાવ્યું હતું.
આ સાથે જ તેઓએ રોજગારી માટે પણ વિનંતી કરતા જીલ્લા કલેકટરએ સમાજ સુરક્ષા શાખાનો સંપર્ક કરાવી મહિલા આત્મનિર્ભર બની પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે તેઓને મદદ કરવા માટે લગત અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. અને અન્ય સરકારી યોજનાઓ વિષે પણ સમજુતી આપી હતી.
રેખાબેન જણાવે છે કે, કલેકટરએ ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજનાની સહાય ઉપરાંત અંગત રસ દાખવીને હું આત્મનિર્ભર થઇ શકું તે માટે રોજગારલક્ષી યોજનાઓ વિષે મને સમજુતી આપીને મને જરૂરી તમામ મદદ પૂરી પાડવા બદલ ખાતરી આપી છે. તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંગળવારે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ ૨૬,૬૦૦ મેગાવોટની વીજ માગ: ગરમીના કારણે ડિમાન્ડ વધી
April 30, 2025 12:57 PMવન મંત્રીના હસ્તે જામનગરના લાલવાડી વિસ્તારમાં વનકવચનું લોકાર્પણ
April 30, 2025 12:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech