રાજયમાં શિક્ષણ વિભાગ દ્રારા લેવાનારી સ્કોલરશીપ પરીક્ષા માટે અંતિમ મુદ્દત સુધીમાં ૫.૬૦ લાખ ફોર્મ ભરાઈ ચૂકયા છે હજુ ઘણા વિધાર્થીઓને સ્કોલરશીપ માટેની પરીક્ષા ના ફોર્મ બાકી હોવાથી આ મુદત બાર ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે.નવા શૈક્ષણિક સત્રથી જ્ઞાનશકિત સ્કૂલ્સ, રક્ષાશકિત સ્કુલ્સ, મોડેલ સ્કૂલ્સમાં ધોરણ–૬માં પ્રવેશ માટે અને જ્ઞાનસેતુ સ્કોલરશીપ માટે લેવાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ૨૯મીથી શ થયેલી રજિસ્ટ્રેશનની કાર્યવાહી માટે ૯ ફેબ્રુઆરી સુધીની મુદ્દત આપવામાં આવી હતી. પરંતુ મુદ્દત પુર્ણ થવાના છેલ્લા દિવસે હજુ ઘણા વિધાર્થીઓનું રજિસ્ટ્રેશન બાકી હોવાનું જણાતા મુદ્દત ૧૨ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં સમગ્ર રાયમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ૫.૫૯ લાખ ફોર્મ ભરાયા હતા. યારે જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ૪.૬૮ લાખ ફોર્મ ભરાયા હતા. આમ, બંને મળીને કુલ ૧૦.૨૭ લાખ જેટલા ફોર્મ ભરાયા છે. જોકે, હજુ ૫૦ ટકા જ ફોર્મ ભરાયા હોવાથી મુદ્દત લંબાવાઈ છે.
રાય સરકાર દ્રારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩–૨૪થી જ્ઞાનશકિત રેડિસેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશકિત ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલ્સ, રક્ષાશકિત સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલ્સમાં ધોરણ–૬માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે સ્કોલરશીપ યોજના શ કરવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ–૧થી ૫નો અભ્યાસક્રમ પૂર્ણ કરનારા વિધાર્થીઓને જ્ઞાનશકિત રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશકિત ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશકિત સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ધોરણ–૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ધોરણ–૬થી ૧૨ના અભ્યાસ દરમ્યાન મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે રાય પરીક્ષા બોર્ડ દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જે અનુસાર, ૨૯ જાન્યુઆરીથી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારભં કરવામાં આવ્યો હતો અને વિધાર્થીઓ ૯ ફેબ્રુઆરી સુધી પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. યારે ૩૦ માર્ચના રોજ રાય પરીક્ષા બોર્ડ દ્રારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે.
ધોરણ–૬માં પ્રવેશ માટે લેવાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે સરકારી સ્કૂલોના કુલ ૬.૯૫ લાખ વિધાર્થીઓમાંથી ૫.૨૯ લાખ વિધાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આમ, સરકારી સ્કૂલોના ૭૬ ટકા વિધાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. યારે ખાનગી સ્કૂલોના ૪.૩૩ લાખ વિધાર્થીઓમાંથી માત્ર ૨૯ હજાર વિધાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આમ, કુલ ૧૧.૨૯ લાખ વિધાર્થીઓમાંથી ૫.૫૯ લાખ વિધાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. એટલે કે કુલ વિધાર્થીઓના ૫૦ ટકા વિધાર્થીઓએ નોંધણી કરાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech