રાજકોટ મહાપાલિકા કચેરીમાં લગભગ દરરોજ જન્મ મરણ નોંધણી વિભાગ અને મેરેજ રજિસ્ટ્રેશન વિભાગમાં અરજદારોની લાંબી લાઇનો લાગે છે અને આ બન્ને વિભાગોમાં અરજદારોને બેસવા માટે પૂરતી ખુરશીની વ્યવસ્થાનો પણ કાયમી અભાવ હોય અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા ફરજ પડે છે. વર્ષોથી આ પ્રશ્ન છે પરંતુ મહાપાલિકાના કોઇ પદાધિકારીઓ ક્યારેય ઉકેલી શક્યા નથી ! ત્યારે વર્તમાન પદાધિકારીઓ શું આ પ્રશ્ન ઉકેલી શકશે ? તેવો સવાલ ઉઠ્યા વિના રહેતો નથી.
જન્મ-મરણ નોંધણીના દાખલા વોર્ડ ઓફિસોમાંથી મળશે તેવી વાતો વર્ષોથી અધિકારીઓ અને પદાધિકારીઓ કરે છે પરંતુ આજ દિવસ સુધી ત્યાંથી દાખલા મળતા નથી તે વાસ્તવિકતા છે. વોર્ડ ઓફિસોમાં ફક્ત વાતોના વડા જ થતા હોય અરજદારોનો ધસારો મુખ્ય કચેરીમાં જ જોવા મળે છે. ઝોન ઓફિસોમાં પણ કોઇ કામ ઉકેલાતા ન હોય તેમજ મોટાભાગનો સ્ટાફ કચેરીમાં હાજર રહેતો ન હોય અથવા હાજર હોય તો પણ ત્યાંથી અરજદારોને ચલક ચલાણું રમાડીને મુખ્ય કચેરીએ જ ધકેલતો હોય અરજદારોની હાલત દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે. ઇ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સની ગુલબાંગો વચ્ચે અરજદારોને બેસવા માટે પુરતી ખુરશીનો પણ અભાવ છે તે નજરે દેખાતી હકીકત છે. હાલ લગ્નગાળો હોય મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા માટે પણ અરજદારોનો ભારે ધસારો જોવા મળે છે અને તે માટે પણ લાંબી લાઇનો લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ઇસ્કોન દ્વારા યોજાયેલી રથયાત્રામાં ભકતો ઉમટી પડયા
July 15, 2024 11:34 AMલાલપુર નવી પીપર ગામ પાસે અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓના મોત
July 15, 2024 11:34 AMસૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જિલ્લામાં આજથી ભારે વરસાદની ચેતવણી
July 15, 2024 11:30 AMજામનગરમાં આવતીકાલથી સિંધી સમાજના પવિત્ર 40 દિવસના ‘ચાલીહા મહોત્સવ’નો પ્રારંભ
July 15, 2024 11:29 AMલાલપુર નવી પીપર ગામ પાસે અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓના મોત
July 15, 2024 11:27 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech