ગેરકાયદેસર બાંધકામ અંગે સબબ મ્યુ. તંત્રની નોટીસ બાદ આધેડનું હદય રોગના હુમલાથી મોત

  • December 18, 2023 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલી ધોબી સોસાયટીમાં રહેતા આધેડનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું. જોકે મૃતકના પરિવારજનો દ્વારા મ્યુ. તંત્રએ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા સબબ આપેલી નોટીસથી ચિંતામાં મુકયેલા આધેડનું હદયરોગના હુમલાથી મૃત્યુ નીપજતું હોવાનો આક્ષેપ કરી મૃતદેહ સ્વીકારવા નનૈયો ભણી દીધો હતો ઘટનાના પગલે હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા



શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતા સંજયભાઈ દિહોરા નામના આધેડને આજે મોડી સાંજે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કરતા તેના પરિવારજનોમાં રોકકળ મચી હતી.


સાથે મૃતક સંજયભાઈ દિહોરાના પરિવારજનો દ્વારા તાજેતરમાં મ્યુ. તંત્રએ ધોબીસોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામને લઈ સંજયભાઈ દિહોરા સહિતના રહીશોને નોટીસ આપવામાં આવેલી હોય જેને લઈ સંજયભાઈ ચિંતામાં મુકાયા હતા. અને છેલ્લા દિવસોથી માનસિક તણાવ અનુભવતા હોય જેમાં આજે મોડી સાંજે તેઓને છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ મોત નીપજ્યાના આક્ષેપ સાથે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધીસંજયભાઈના મૃતદેહનો સ્વીકાર ન કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.ઘટનાના પગલે મોડી રાત્રે હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application