- કાર્તિકની શહેઝાદા અને અક્ષયની સેલ્ફી પટકાતા રણબીરને ચિંતા
- ફિલ્મના પ્રમોશન માટે કોલકાતામાં સોરવ ગાંગુલીનો સહારો લીધો
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટાર ફિલ્મ તુ જૂઠી મેં મક્કર 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેના માટે રણબીર ફિલ્મને હિટ કરાવવા સઘળા પ્રયાસો કરી રહ્યો છે. હાલમાં જ પઠાન સિવાય કાર્તિક આર્યિનની શહેઝાદા અને અક્ષયકુમારની સેલ્ફ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછડાતા રણબીર કોઇ કસર રાખવા માંગતો નથી. જેથી તેણે પ્રમોશનમાં ક્રિકેટના દાદા સૌરવ ગાંગુલીનો પણ સહારો લીધો છે.
આ ફિલ્મનું નિર્દેશન લવ રંજન કરી રહ્યા છે. આ ફિલ્મમાં પહેલીવાર રણબીર અને શ્રદ્ધા કપૂરની જોડી સાથે જોવા મળવાની છે. રણબીરની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર સુપરહિટ રહી હતી. આ ફિલ્મના પ્રમોશન માટે રણબીર ગતરોજ કોલકાતા પહોંચ્યો હતો અને પ્રખ્યાત ઈડન ગાર્ડન્સ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે ફ્રેન્ડલી મેચ રમી હતી. આ દરમિયાન રણબીર કપૂર સૌરવ ગાંગુલીના બોલ પર ઘણા છગ્ગા અને ચોગ્ગા ફટકારતો જોવા મળ્યો હતો.
રણબીર કપૂરની ટીમનું નામ મક્કાર ઈલેવન હતું, જ્યારે સૌરવ ગાંગુલીની ટીમનું નામ જુઠી ઈલેવન રાખવામાં આવ્યું હતું. બંને ટીમો મેદાનમાં ટકરાઈ હતી. આ મેચને જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સે હાજરી આપી હતી. મેચ બાદ મીડિયા સાથે વાત કરતા રણબીર કપૂરે સ્પષ્ટ કર્યું કે, તે સૌરવ ગાંગુલીની બાયોપિકમાં કામ કરી રહ્યો નથી. વાસ્તવમાં તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે, રણબીર સૌરવની બાયોપિકમાં કામ કરશે.
રણબીર કપૂરે કહ્યું...
મને લાગે છે કે, દાદા જીવંત દંતકથા છે. તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં માટે એક જીવંત દંતકથા છે. તેમના પર બનેલી બાયોપિક ઘણી ખાસ હશે. કમનસીબે મને આ ફિલ્મની ઓફર કરવામાં આવી નથી. મને લાગે છે કે, મેકર્સ લવ ફિલ્મ્સ હજુ પણ આ ફિલ્મની વાર્તા લખી રહ્યા છે.
રણબીર કપૂરે કિશોર કુમારની બાયોપિકમાં કામ કરવાના સમાચાર આપ્યા હતા. તેણે કહ્યું હતુ કે, “હું 11 વર્ષથી કિશોર કુમારની બાયોપિક પર કામ કરી રહ્યો છું. આ ફિલ્મ અનુરાગ બાસુ સાથે મળીને લખી રહ્યો છું. મને આશા છે કે, આ મારી આગામી બાયોપિક હશે. પરંતુ અત્યાર સુધી મેં દાદા પર બાયોપિક બનવા વિશે કંઈ સાંભળ્યું નથી. જેથી મને કંઈ ખબર નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech