દિવાળીના તહેવારોમાં રામવન મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે

  • November 09, 2023 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ધ અર્બન ફોરેસ્ટ  રામવન દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓ માટે રાબેતામુજબ ખુલ્લુ રહેશે.
સામાન્યરીતે રામવન સફાઈ અને મેઇન્ટેનન્સ બાબતે અઠવાડિયાના દર સોમવારે બંધ રાખવામાં આવે છે પરંતુ તા.12ના રોજ દિવાળીના તહેવારો નિમિતે રામવન સહેલાણીઓ માટે ખુલ્લું રહેશે તેમ, મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન સોનલબેન સેલારાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે યાદીમાં ઉમેર્યું હતું કે, તહેવારોને ધ્યાનમાં રાખીને રામવન ખાતે મુલાકાતીઓ રજાના દિવસોમાં ફરવા જઈ શકે અને પ્રાકૃતિક સોંદર્યનો આનંદ ઉઠાવી શકે તે માટે સુદ્રઢ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application