રાજકોટ મ્યુનિ. ટેક્સ બ્રાન્ચ આજે-કાલે અને જાહેર રજાના દિવસે કાર્યરત રહેશે

  • March 22, 2025 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ વાર્ષિક રૂ.૪૧૦ કરોડની મિલ્કતવેરા વસુલતનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે આજથી આગામી તા.૩૧ માર્ચ સુધી શનિ, રવિ તેમજ જાહેર રજાઓના દિવસોમાં રાબેતા મુજબ કાર્યરત રહેશે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫ના તથા અત્યાર સુધીના બાકી રહેલા મિલકત વેરાની રકમ વસુલવાની કામગીરી શરૂ છે. આથી રાજકોટના નાગરિકોને સુવિધા પૂરી પાડવા માટે તમામ વોર્ડ-ઓફીસ, તમામ સિવિક સેન્ટરો, તથા ત્રણેય ઝોનની વેરા-વસુલાતની શાખા રજાના દિવસો (તા.૨૨, ૨૩, ૩૦ અને, ૩૧ માર્ચ) દરમિયાન પણ કાર્યરત રહેશે. નાગરિકો પોતાના ઘર વેરો, પાણી વેરો, તથા અન્ય તમામ પ્રકારના કરવેરા ચકાસવા અને ભરપાઇ કરવા માટે રજા દરમિયાન પણ આવી ઓફિસનો લાભ લઇ શકે છે. ઓફીસના કામકાજના સમયગાળા સવારે ૧૦થી સાંજે ૬ દરમિયાન નાગરિકોને સુવિધા ઉપલબ્ધ રહેશે. નાગરિકોને સમયસર કરવેરા ભરવા માટે અનુરોધ કરાયો છે જેથી તેઓ વધારાના વ્યાજ ભરવાથી તેમજ મિલકત જપ્તિ અને મિલકત સિલિંગ, મિલકતની હરરાજી જેવી શિક્ષાત્મક કાર્યવાહીથી બચી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application