અરવલ્લીના માલપુરની વાત્રક નદીમાં ન્હાવા પડેલા 3 મિત્રો ડૂબ્યા, સ્થાનિક તરવૈયાઓએ ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા

  • March 22, 2025 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરવલ્લીના માલપુરની વાત્રક નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા હતા. આ ત્રણેય મિત્ર જૂના પુલ પાસે નહાવા ગયા હતા. જે દરમિયાન આ બનાવ બન્યો હતો. જો કે ઘટનાને પગલે ત્રણેય કિશોરને સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક દોડી જઇ બહાર કાઢ્યા હતા. પરંતુ, ઊંડા પાણીમાં ગરકાવ થવાથી ત્રણેયના મોત થયા હતા. ઘટનાને લઇ આસપાસના લોકો એકત્રિત થઇ ગયા હતા.

મૃતકોના નામ

  1. સુલતાન ઈમ્તિયાઝ દીવાન (14 વર્ષ)
  2. રોનક સમજુભાઈ ફકીર (12 વર્ષ)
  3. સાહબાઝ સીરાઝ પઠાણ (14 વર્ષ)



આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ આ ત્રણેય કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માલપુર સી.એચ.સી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્રણે કિશોર માલપુર કસબા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application