આ બાકી હતું.... રજનીકાંતનું મંદિર બન્યું,પૂજા અને હવન થયા

  • November 08, 2023 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંદિરમાં થલાઈવાની 250 કિલોથી વધુ વજનની મૂર્તિની સ્થાપના


સુપરસ્ટાર રજનીકાંતે અસંખ્ય ફિલ્મોમાં દમદાર ભૂમિકાઓ ભજવીને ફેન્સનું મનોરંજન કર્યું છે. 72 વર્ષની ઉંમરે પણ રજનીકાંતની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. ફેન્સ હજુ પણ રજનીકાંતની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. હવે એક ફેન્સે રજનીકાંતનું મંદિર બનાવ્યું છે. કાર્તિકે તમિલનાડુમાં અભિનેતાનું મંદિર બનાવ્યું છે. મંદિરમાં તેને રજનીકાંતની 250 કિલોથી વધુ વજનની મૂર્તિ બનાવી છે.


હાલમાં સોશિયલ મીડિયા પર રજનીકાંતના મંદિરની તસવીરો વાયરલ થઈ રહી છે. થલાઈવાના મંદિરમાં પૂજા અર્ચના અને હોમ હવન પણ કરવામાં આવ્યા હતા. મંદિરમાં પરંપરાગત રીતે રજનીકાંતની પૂજા કરવામાં આવે છે.રજનીકાંતની ફિલ્મોની વાત કરીએ તો તાજેતરમાં જ રજનીકાંત ફિલ્મ 'જેલર' દ્વારા તેમના ફેન્સને મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી. આ ફિલ્મે લગભગ 600 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

રજનીકાંતની આગામી ફિલ્મ 'થલાઈવર 170'ની વાત કરીએ તો રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રજનીકાંતની સાથે એક્ટર અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.રજનીકાંત છેલ્લા ઘણા સમયથી ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે. રજનીકાંત પછી ઘણા કલાકારોએ ફિલ્મી દુનિયામાં પદાર્પણ કર્યું. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં રજનીકાંતનું સ્થાન આજ સુધી કોઈ લઈ શક્યું નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application