અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.તો સતત વરસાદી માહોલને પગલે જિલ્લાના ૬ જેટલા જળાશયો અત્યાર સુધીમાં ઓવરફ્લો થઇ ચુક્યા છે.તો રાજુલાનો ધાતરવડી-૨ ડેમ પણ છલકાઈ ઉઠ્યો હતો.
ગઈકાલે અમરેલી જિલ્લાના દરિયાઈ પટ્ટીના રાજુલા પંથકમાં ધોધમાર બે ઈંચ વરસાદ પડ્યો હતો.રાજુલાના હિંડોરણા, કડિયાળી, નિંગાળા, ભેરાઇ, રામપરા, છતડીયા સહિતં વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.વરસાદને કારણે ગામની બજારોમાં પાણીં વહેતા થઇ ગયા હતા.તેવામાં સતત વરસાદને કારણે વિસ્તારોમાં નદી નાળાઓમાં પણ પાણીની ભરપૂર આવક થઇ રહી છે.જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.રાજુલા પંથકના બે મુખ્ય ડેમો પૈકી ધાતરવડી-૧ અને ધાતરવડી-૨ બંને ઓવરફ્લો થઇ ચુક્યા છે.જેને લઈને ખેડૂતોની ચિંતા હળવી થઇ છે. વરસાદને કારણે ધાતરવડી-૨ ડેમ જે વરસાદને લીધે થયેલ પાણીની આવકને પગલે ભરાઈ જતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો.આ ડેમનો દરવાજો ખોલવામાં આવતા નીચાણવાળા ૧૦ જેટલા ગામડાઓને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું અને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી.અહીંના ખાખબાઈ,હિંડોરણા,વડ ભચાદર,કોવાયા,લોઠપૂર સહિત ગામડાને ને એલર્ટ આપ્યું હતું. જાફરાબાદ તાલુકાના સરોવડા સહિત ના વિસ્તારમાં વરસાદ ખાબકયો હતો સરોવડા ગામનો ચેક ડેમ છલકાયો સાવરકુંડલા પંથકમાં અડધો ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો બાઢડા મેરીયાણા વીજપડી ભમ્મર દોલતી ચીખલી વણોદ ખડસલી ગોરડકા સહિત આસપાસના ગ્રામ્યમાં વરસાદ ખાબકયો હતો સાવરકુંડલા ના મેરીયાણા ગામે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ફુલસર નંદી મા પુર આવ્યુ હતું લાઠી પંથક માં ઢળતી સાંજના સમયે ધોધમાર સવા ઈંચ જેટલા વરસાદ થી સર્વત્ર પાણી છવાઈ ગયેલ જતા ખેડૂતો મા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તો જિલ્લાના ૬ જળાશયો અત્યાર સુધીમાં ઓવરફ્લો થઇ ચુક્યા છે અને હજુ પણ વરસાદી માહોલ યથાવત છે જેને પગલે સતત પાણીની આવક ચાલુ જોવા મળી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech