જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઇકોર્ટના આદેશના નામે રસ્તાની સાઈડ પાસે ઉભા રહેતા લારીધારકોને દબાણના નામે હટાવવામાં આવતા તહેવારો પૂર્વે જ નાના ધંધાર્થીઓ બેરોજગાર બનતા ગઈકાલે મોટી સંખ્યામાં લારી ધારકોએ મહાનગરપાલિકા કચેરીએ જઈ તંત્રને વ્યાપાર માટે મંજૂરી આપવા રજૂઆત કરવામાં આવી હતી.શહેરના અમુક વિસ્તારોમાં લારીઓ ઉભી રહે છે ત્યારે તેને હટાવવામાં આવતી નથી જેથી એક ને ગોળ એક ને ખોળની નીતિ સામે નાના ધંધાર્થીઓમાં નારાજગી વ્યાપી હતી.
જૂનાગઢમાં રસ્તાની ફૂટપાથ પર ખાણીપીણીના ધંધાર્થીઓ ઉભા રહી રોજગાન ચલાવે છે. ટ્રાફિકને નડતરરૂપ ન હોવા છતાં તંત્ર દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓ ની લારીઓ ઉપડાવી લેવામાં આવતા તહેવારો પૂર્વે જ નાના ધંધાથીઓની રોજગારી છીનવી લેવામાં આવી છે.એક જ વિસ્તારને ટાર્ગેટ બનાવી લારીઓ ઉપડાવી લેવામાં આવતા લારીધારકોએ લારી ઊભી રાખવા મંજૂરી આપવાની માંગ સાથે મહાનગરપાલિકાએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ તંત્ર એ એક કલાકથી વધુ સમય સુધી વ્યાપારીઓને રાહ જોવડાવતા વેપારીઓને કચેરી નીચે જ રઝળપાટ થઈ હતી.લારીધારકોના જણાવ્યા મુજબ ટ્રાફિકને નડતરરૂપ ન હોય તેવા સ્થળોએ લારીઓ હટાવવા માં આવતી નથી ત્યારે જૂનાગઢમાં તંત્ર દ્વારા કરાયેલી કામગીરીથી નાના ધંધાર્થીઓ બેરોજગાર બન્યા છે. વચગાળાના રસ્તા માટે લારી ધારકોએ સાંજના સમયે જ લારી ઊભી રાખવા માંગ કરી હતી.પરંતુ તંત્ર દ્વારા રજૂઆત નો નિકાલ કરવામાં ન આવતા નાના વ્યાપારીઓમાં તંત્રની કામગીરી સામે રોષ વ્યાપ્યો હતો.દિવાળીના તહેવાર નજીકમાં હોય ત્યારે જ રોજગારી ગુમાવતા રોજે રોજ એક ટકનું કમાઈ ખાતા અમુક લારી ધારકોના આંખોમાંથી અશ્રુ સરી પડ્યા હતા.
સખી મંડળોને તહેવારોને લઈને જગ્યા ફાળવાશે
તંત્ર દ્વારા બહાઉદીન કોલેજ પાસે ઊભા રહેતા લારીધારકોને દૂર કરવામાં આવ્યા છે ત્યારે દર વર્ષે તંત્ર દ્વારા જ દિવાળી પૂર્વે સખી મંડળોને દીવા, રંગોળી, કલર, તોરણ, પગલુછણીયા સહિતની ચીજોના વેચાણ માટે આ જ વિસ્તારમાં સ્ટોલ માટે જગ્યા ફાળવવામાં આવે છે. જેને આગામી દિવસોમાં ફાળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.જેથી દબાણના નામે લારી ધારકોને દૂર કરતા તંત્ર સ્ટોલ ફાળવી દબાણ ઊભું કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AM4 સાથીઓના મોત બાદ આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર કર્યો હુમલો, એક જવાન ઘાયલ
July 07, 2024 10:43 AMસુરતમાં મોટી દુર્ઘટના, 6 માળની ઇમારત પડી, 7 લોકોના મોત
July 07, 2024 08:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech