રફતારના રાક્ષસે માસુમ બાળકનો જીવ લીધો : સિહોરના સણોસરા પાસેની દુર્ઘટના

  • September 03, 2024 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ સમગ્ર જિલ્લા સાથે રાજયમાં મેળાઓની સિઝન ભરપૂર ચાલી રહી છે. પરિવારના રજા માણવા અને ફરવા ઉપડી જતા હોય છે. અજાણી જગ્યાએ ફરવા જતા હોય ત્યારે માતા-પિતાએ બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહિ તો ઘણી વાર અકસ્માત થતા હોય એવા કિસ્સાઓ બનતા હોય છે. આવો જ એક કરુણ બનાવ સિહોર સણોસરા નજીક બન્યો છે. સિહોરના સાંઢીડા ખાતે અકસ્માતમાં બાળકનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર સિહોરના સણોસરા નજીક આવેલ સાંઢીડા મહાદેવ ખાતે લોકમેળો યોજાય છે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુ પંથકના લોકો મેળો કરવા આવે છે. ત્યારે મહુવા ના કલસાર ગામના હાલ સણોસરા લોકભારતી માં મજૂરી કરતા બુધાભાઇ કંટારીયા પોતાના પરિવાર સાથે મેળામાં ગયા હતા તે દરમિયાન નજીકમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરના ગેટ પાસે બાળક ઉત્તમ બુધાભાઇ કંટારીયા (ઉ.વ.૮) ઉભો હતો ત્યારે અજાણ્યા બાઇક સવારે રોડ પર બાળકને અડફેટે લેતા ઉત્તમ બુધાભાઇ કંટારીયાને ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ મારફત સિહોર ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરતા મજૂર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ અંગે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application